જુલાઇ 16, 2024 10:56 એ એમ (AM) જુલાઇ 16, 2024 10:56 એ એમ (AM)

views 19

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા હતા. શ્રી જયશંકરે કહ્યું, પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે આંતકવાદ એક જોખમ બની ગયું છે. તેમ જ આતંકવાદી હુમલાઓ કરનારાઓને અને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડનારાઓની ઓળખ કરી તેમને સજા આપવાની જરૂર છે. તાજેતરમાં જ કઝાકિસ્તાનમાં અસ્તાનાની સમાચાર સંસ્થા સાથેના એક ઈન્ટરવ્યૂમાં શ્રી જયશંકરે એ વાત પર પણ ભાર મુક્યો હતો કે, આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદ સામેની લડાઈ શાંઘાઈ સહયોગ સંગઠન – SCOની પ્રાથમિકતા છે. SCOના રાષ્ટ્રાધ્યક્ષ પરિષદની 24મી બેઠ...

જુલાઇ 16, 2024 10:52 એ એમ (AM) જુલાઇ 16, 2024 10:52 એ એમ (AM)

views 12

મુંબઇમાં મરાઠા અનામત અંગે મહારાષ્ટ્રના મંત્રી છગન ભૂજબળ અને શરદ પવાર વચ્ચે બેઠક

નેતા અને મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે સોમવારે NCP ના વડા શરદ પવાર સાથે મુંબઈમાં બેઠક કરી હતી. શરદ પવારના નિવાસસ્થાને યોજાયેલી બેઠક અંગે બોલતા, શ્રી ભુજબળે કહ્યું કે તેમણે મરાઠા અનામત અને તેના પર ઓબીસીના વિરોધ અંગે શ્રી પવારની દરમિયાનગીરીની માંગણી કરી હતી. શ્રી ભુજબળે જણાવ્યું હતું કે જ્યારે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં મંડલ કમિશનની ભલામણોના અમલ કરવાના તેમના નિર્ણયનીપણ યાદ અપાવી હતી જેમાં શિક્ષણમાં અને સ્થાનિક ગવર્નિંગ બોડીઓની ચૂંટણીમાં ઓબીસી અનામતની દરખાસ્ત કરવામાં આવી હતી.

જુલાઇ 16, 2024 10:50 એ એમ (AM) જુલાઇ 16, 2024 10:50 એ એમ (AM)

views 9

સુરતના ઉમરપાડામાં 14 ઇંચ સહિત રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યના હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, તેમજ દાદારનગર અને હવેલીમાં રેડ અલર્ટની સ્થિતિ છે. જયારે આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદના જોતા ઑરેન્જ અલર્ટ જાહેર છે. આજથી બે દિવસ દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણઁદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ...

જુલાઇ 15, 2024 9:25 એ એમ (AM) જુલાઇ 15, 2024 9:25 એ એમ (AM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ x પર સો મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરીને અનોખી સિધ્ધિ હાંસલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો વટાવીને એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 30 મિલિયન ફોલોઅર્સનો વધારો થયો છે. શ્રી મોદીએ હવે X પર વિશ્વના સૌથી વધુ અનુસરવામાં આવતા નેતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. શ્રી મોદી અમેરિકાના પ્રમુખ જો બાઇડન સહિત અન્ય વિશ્વ નેતાઓ કરતા ઘણા આગળ છે 100 મિલિયન ફોલોઅર્સ વટાવ્યા પછી, શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ આ વાઇબ્રન્ટ માધ્યમ પર આવીને ખુશ છે અને તેમના ફોલોઅર્સ દ્વ...

જુલાઇ 15, 2024 9:23 એ એમ (AM) જુલાઇ 15, 2024 9:23 એ એમ (AM)

views 15

કેરળમાં અનરાધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ

સમગ્ર કેરળમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે.. રાજ્યના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. આકાશવાણીના તિરુવનંથપુરમના સંવાદદાતા મયુષાના જણાવ્યા અનુસાર મલપ્પુરમ, કન્નુર અને કાસરગોડ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જ્યારે એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, કોઝિકોડઅને વાયનાડ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ તથા પહાડી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઇ એલર્ટ અપાયું છે ઘણા સ્થળોએ વાહનવ્યવહાર અને વીજ પુરવઠાની વ્યવસ્થા ખોરવાઇ છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ આજે વરસાદગ્રસ્ત જિલ્...

જુલાઇ 15, 2024 9:21 એ એમ (AM) જુલાઇ 15, 2024 9:21 એ એમ (AM)

views 26

સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા – CUET-UGના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા લેવાશે

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTAએ જાહેરાત કરી છે કે, સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા CUET-UG ના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા 19 જુલાઈએ લેવાશે. આ પરીક્ષા સીબીટી એટલે કે, કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ માધ્યમથી લેવાશે. ઉમેદવારોને તેમના વિષય કોડનો ઉલ્લેખ કરીને ઈ-મેલ દ્વારા માહિતી મોકલવામાં આવી છે. પરીક્ષાના પ્રવેશપત્ર ટૂંક સમયમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે. NTAએ કહ્યું કે, વિષય નિષ્ણાતોના પ્રતિસાદના આધારે ફાઇનલ આન્સર કી તૈયાર કરવામાં આવી રહી છે, જે ઑનલાઇન મળેલા વાંધાઓને ધ્યાને લઈ સત્તાવાર વેબસાઇટ પર ટૂંક...

જુલાઇ 9, 2024 10:40 એ એમ (AM) જુલાઇ 9, 2024 10:40 એ એમ (AM)

views 6

રાજ્યમાં આગામી એક વર્ષમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા લક્ષ્યાંક સાથે કામ કરવા અનુરોધ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યમાં આગામી એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તેવા લક્ષ્યાંક સાથે કામ કરવાની આવશ્યકતા છે એવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા રાજ્યપાલશ્રીએ રાજભવન ખાતે ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂત આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં અત્યારે 9 લાખ 27 હજાર 550 ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં 10 ...

જુલાઇ 9, 2024 10:37 એ એમ (AM) જુલાઇ 9, 2024 10:37 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મોસ્કો યાત્રા દરમિયાન આજે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત અને રશિયા વચ્ચેની 22મી વાર્ષિક શિખર સંમેલનની સહ અધ્યક્ષતા કરશે. વાર્ષિક સમિટ દરમિયાન, પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સંરક્ષણ, વેપાર સંબંધો, રોકાણ સંબંધો, ઉર્જા સહયોગ, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંપર્કો સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓની સમીક્ષા કરશે. તેઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર એકબીજાના અભિપ્રાયો રજૂ કરશે. બંને નેતાઓ BRICS, શાંઘાઈ સહકાર સંગઠન, G20, પૂર્વ એશિયા સમિટ અને સંયુક્ત રાષ્...

જુલાઇ 8, 2024 10:09 એ એમ (AM) જુલાઇ 8, 2024 10:09 એ એમ (AM)

views 51

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઑસ્ટ્રિયાના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે. રશિયાના મૉસ્કોમાં તેઓ 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે- સંરક્ષણ, વેપાર, રોકાણ, ઊર્જા, સહકાર, શિક્ષણ તેમજ સંસ્કૃતિ સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા થશે. બંને નેતાઓ પરસ્પર હિત, પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિતિ વિશે પણ ચર્ચા કરશે. આ ઉપરાંત બ્રિક્સ, શાંઘાઈ સહકાર સંગઠન, જી-20, પૂર્વ એશિયા શિખર સંમેલન તેમજ સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચો પર...

જુલાઇ 5, 2024 10:20 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:20 એ એમ (AM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 8 અને 9 તારીખે રશિયાની સત્તાવાર મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 8 અને 9 તારીખે રશિયાની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, શ્રી મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં હાજરી માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મોસ્કોમાં હશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 9 અને 10 તારીખે ઓસ્ટ્રિયા જશે. 41 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. શ્રી મોદી ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર વેન ડેર બેલેનને મળશે અને ઓસ્...