ઓગસ્ટ 2, 2024 10:45 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:45 એ એમ (AM)

views 13

સીબીઆઈએ નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરિતી કેસમાં 13 આરોપી સામે આરોપનામું દાખલ કર્યું

કેન્દ્રીય તપાસ પંચ – CBIએ બિહારમાં નીટ યૂજી પ્રવેશ પરીક્ષા પેપર લીક મામલે ગઈકાલે 13 આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખલ કર્યું છે. આ આરોપનામામાં મુખ્ય આરોપી મનિષ પ્રકાશ, સિકન્દર યાદવેંદુ તેમજ 11 અન્ય સામે કેસ નોંધવામાં આવ્યા છે. બિહાર પોલીસના આર્થિક ગુનાખોરી એકમે પેપર લીક મામલે સંગઠીત કૌભાંડને ઉજાગર કર્યું હતું. 4 મેના રોજ પટણાના શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાયો હતો. જે બાદ આ સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ હતી. તપાસ એજન્સીએ તપાસ દરમિયાન પુરાવાઓ માટે ઉચ્ચ ફોરન્સિક તકનિક, AI, CCTV ફૂટ...

ઓગસ્ટ 2, 2024 3:04 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 3:04 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોના બે દિવસીય સંમેલનનો પ્રારંભ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું બે દિવસીય સંમેલન આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે શરૂ થયું છે. આ સંમેલનમાં તમામ રાજ્યોના રાજ્યપાલ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,કેન્દ્રીય મંત્રી અમિત શાહ,ધર્મેન્દ્રપ્રધાન,શિવરાજસિંહ ચૌહાણ,અશ્વિની વૈષ્ણવ અને ડૉ મનસુખ માંડવિયા સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે. આ સંમેલનમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ,પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. બેઠકમાં નવા ફોજદારી કાયદાઓ...

ઓગસ્ટ 2, 2024 1:57 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 1:57 પી એમ(PM)

views 2

પેરિસ ઓલિમ્પિકની બેડમિન્ટનની પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેન ચીનના ખેલાડી સામે રમશે

પેરિસ ઓલિમ્પિકમાં આજે સાતમા દિવસે અનેક ભારતીય ખેલાડીઓ નિશાનેબાજી,તીરંદાજી, બેડમિન્ટન, જુડો, હોકી અને એથ્લેટિક્સની સ્પર્ધામાં ભાગ લેશે.નિશાનેબાજીમાં મનુ ભાકર મહિલાઓની 25 મીટર સ્પર્ધામાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે, જ્યારે બેડમિન્ટન પુરુષ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો ચીની-તાઇપેઇના ચાઉ-તિયેન-ચેન સામે થશે.પુરુષ હૉકી પૂલ મેચમાં આજે સાંજે ભારત અને ઑસ્ટ્રેલિયા ટકરાશે. ભારતીય ટીમ અગાઉ ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. જૂડોમાં મહિલાઓની 78 કિલોગ્રામથી વધુ વજન વર્ગ શ્રેણીમાં ભ...

ઓગસ્ટ 2, 2024 10:35 એ એમ (AM) ઓગસ્ટ 2, 2024 10:35 એ એમ (AM)

views 10

ગીર સોમનાથ જિલ્લાના ધામળેજ ખાતે દરિયા કિનારેથી પાંચ કરોડ 30 લાખ રૂપિયાનાં માદક દ્રવ્યો જપ્ત

ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કાંઠેથી વધુ એક વાર મોટી માત્રામાં માદક પદાર્થો મળી આવ્યા છે. ગઇ કાલે ગીર સોમનાથ SOG, FSL સહિતની ટીમોએ સુત્રાપાડાના ધામળેજ ખાતે દરિયાકિનારાથી પાંચ કરોડ 30 લાખ રૂપિયાનાં માદક દ્રવ્યો જપ્ત કર્યા છે ગઈ કાલે ગીર સોમનાથ એસ.ઓ.જી., પોલીસ ઇન્સ્પેક્ટર તથા પીએસઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસના કર્મચારીઓ સુત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન મળેલી બાતમીનાં આધારે ધામળેજ ગામે સ્મશાન પાસે હુડવીયા પીરની દરગાહ જવાના રસ્તે દરીયા કિનારેથી દસ કીલો છસો ગ્રામ બિનવારસી ચરસના પેકેટો જપ...

જુલાઇ 30, 2024 12:07 પી એમ(PM) જુલાઇ 30, 2024 12:07 પી એમ(PM)

views 14

ભારતીય પેરા સ્વિમર જિયા રાય વિશ્વનાં સૌથી યુવા અને ઝડપી મહિલા પેરા સ્વિમર બન્યાં

ભારતીય પેરા સ્વિમર જિયા રાય ઇંગલીશ ચેનલ તરીને પાર કરનાર વિશ્વનાં સૌથી યુવા અને ઝડપી મહિલા પેરા સ્વિમર બન્યાં છે. 16 વર્ષનાં દિવ્યાંગ જિયાએ ઇંગલેન્ડમાં એબોટ ક્લિફથી ફ્રાન્સનાં પોઇન્ટે દ લા કોર્ટે-ડ્યુન સુધીનું 34 કિલોમીટરનું અંતર 17 કલાક અને 25 મિનિટમાં કાપ્યું હતું. દિવ્યાંગ હોવા છતાં તેઓ આંતરરાષ્ટ્રીય ઓપન વોટર પેરા સ્વિમર છે અને ઓપન વોટર સ્વિમિંગમાં વિશ્વ વિક્રમ ધરાવે છે.

જુલાઇ 30, 2024 11:33 એ એમ (AM) જુલાઇ 30, 2024 11:33 એ એમ (AM)

views 8

ઝારખંડના ચક્રધરપુરમાં વહેલી સવારે ટ્રેન પાટા પરથી ઉતરી જતાં બેના મોત

ઝારખંડમાં આજે સવારે હાવડા—મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી જવાના કારણે અનેક પ્રવાસી ઈજાગ્રસ્ત થયા હતા.ચક્રધરપુર રેલવે મંડળ હેઠળ પોટોબેડા ગામની પાસે બડાબામ્બો અને ખરસાવા રેલવે સ્ટેશનની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. આ ટ્રેન હાવડાથી છત્રપતિ શિવાજી ટર્મિનસ જઈ રહી હતી. ચક્રધરપુર મંડળના વરિષ્ઠ DCM આદિત્યકુમાર ચૌધરીએ કહ્યું કે, ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે ઘટનાસ્થળે રાહત ટુકડીએ રાહત અને બચાવ કામગીરી શરૂ કર્યું છે.

જુલાઇ 22, 2024 11:23 એ એમ (AM) જુલાઇ 22, 2024 11:23 એ એમ (AM)

views 9

સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ, નાણામંત્રી આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં વર્ષ 2023-24 માટેનો આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. આ દસ્તાવેજ નાણા મંત્રાલયના આર્થિક વિભાગના મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરનની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નાણામંત્રાલયે લખ્યું છે કે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ થયા બાદ મુખ્ય આર્થિક સલાહકાર આજે બપોરે પત્રકારોને સંબોધન કરશે. આર્થિક સર્વેક્ષણ એ દેશની અર્થવ્યવસ્થાનું રિપોર્ટ કાર્ડ હોવાની સાથે ભવિષ્યના વિકાસનો અંદાજ આપે છે. ઉપરાંત અર્થતંત્રની સ્થિતિ, શક્યતાઓ તેમ...

જુલાઇ 22, 2024 11:16 એ એમ (AM) જુલાઇ 22, 2024 11:16 એ એમ (AM)

views 11

રાજ્યમાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 84 કેસ નોંધાયા જેમાં 46 દર્દીઓ સારવાર હેઠળ

રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોગચાળા નિયંત્રણ અને અટકાયતી માટે સઘન કામગીરી કરાઈ રહી છે. રાજ્યમાં એન્કેફેલાઈટીસના કુલ 84 કેસોમાંથી 46 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે 5 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય ટીમ દ્વારા કુલ 18 હજાર 729 ઘરોમાં સર્વેલન્સ કામગીરી કરાઈ છે. અત્યાર સુધીમાં એક લાખ 16 હજાર 205 કાચા ઘરોમાં ડસ્ટીંગ - સ્પ્રેઇંગ કામગીરી કરાઈ છે. દરેક કેસની રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ ત્વરીત ધોરણે GBRC ગાંધીનગર ખાતે મોકલી અપાયા છે. અગ્ર સચિવ તથા કમિશનર આરોગ્ય દ્વારા દૈનિ...

જુલાઇ 19, 2024 12:12 પી એમ(PM) જુલાઇ 19, 2024 12:12 પી એમ(PM)

views 16

મહીસાગરમાં કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ૬ ટીડીઓ, ૩ ચીફ ઓફિસરને ડીડીઓએ નોટિસ ફટકારી

મહીસાગરમાં સરવેની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ૬ ટીડીઓ અને ૩ ચીફ ઓફિસરને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં ૪૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં સરવેની કામગીરી હાથ ધરાઇ હતી. આ કામગીરી બાદ પણ મોન્સૂન રિપોર્ટમાં આર. સી. ટેસ્ટ નેગેટિવ મળી આવ્યા હતા. તેમજ 7 જેટલા પાણીના લાઈન લિકેજ ને નગરપાલિકા કે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા રિપેર કરવામાં આવ્યા નથી.જેના કારણે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ...

જુલાઇ 19, 2024 11:02 એ એમ (AM) જુલાઇ 19, 2024 11:02 એ એમ (AM)

views 4

ચાંદીપુરા વાઇરસ : રાજ્યમાં ૧૧,૦૫૦ ઘરોમાં ૫૬,૬૫૧ વ્યક્તિનું સર્વેલન્‍સ કરાયું

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના 33 જેટલા કેસ નોંધાયા છે. જેમાંથી સાત જેટલા નમૂના પૂના પરિક્ષણ માટે મોકલાયા હતા જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવ્યો હતો.રાજ્યમાં ૨૬૦ ટીમો દ્વારા ૧૧,૦૫૦ ઘરોમાં કુલ ૫૬,૬૫૧ વ્યક્તિઓનું સર્વેલન્‍સ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની વર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી આ સમીક્ષા બેઠકમાં રોગચાળા નિયંત્રણ માટે સમગ્ર રાજ્યમાં સધન સર્વેલન્સ અને દવા છંટકાવ માટે ડ્ર...