ઓગસ્ટ 13, 2024 10:48 એ એમ (AM) ઓગસ્ટ 13, 2024 10:48 એ એમ (AM)

views 10

નર્મદા બંધમાં પાણીની ભરપૂર આવકના પગલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવાનો રાજ્ય સરકારનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર બંધમાં પાણીની આવકમાં વધારો થતાં આ પાણી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં ખેડૂતો અને નાગરિકોને પૂરું પાડવાનો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓના કુલ 40 જળાશયોને જુદીજુદી સૌની યોજનાની 4 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવા રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે. હાલ આ પાઈપલાઈનો દ્વારા 1 હજાર 300 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ જળાશયમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. તેવી જ રીતે ઉત્તર ગુજરાતના તળાવો...

ઓગસ્ટ 12, 2024 10:57 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 10:57 એ એમ (AM)

views 6

હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાન, આસામ, મેઘાલય અને બિહારમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, આસામ,મેઘાલય અને બિહારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન કેરળ, માહે, તમિલનાડુ અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં અલગ-અલગ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. ઉપરાંત પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની અને અઠવાડિયા દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણ દ્વીપકલ્પના ભારતના મેદાનો પર છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

ઓગસ્ટ 12, 2024 10:54 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 10:54 એ એમ (AM)

views 4

સેબી અને અદાણી જૂથ અંગે હિડનબર્ગના રિસર્ચ રિપોર્ટને સેબીએ નકાર્યા

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સેબીએ હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે તેની પાસે આવા મુદ્દાઓના ઉકેલ માટે પર્યાપ્તઆંતરિક માળખુ છે, જેમાં ડિસ્ક્લોઝર ફ્રેમવર્ક અને રિક્યુસલ માટેની જોગવાઈનો સમાવેશ થાય છે. સિક્યોરિટીઝના હોલ્ડિંગ અનેતેના ટ્રાન્સફરના સંદર્ભમાં જરૂરી સંબંધિત જાહેરાતો અધ્યક્ષ દ્વારા સમયાંતરે કરવામાં આવી છે. એક નિવેદનમાં, દેશના શેરબજાર નિયમનકારે પણ રોકાણકારોને આવા અહેવાલો પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. હિન્ડેનબર્ગ રિસ...

ઓગસ્ટ 6, 2024 11:02 એ એમ (AM) ઓગસ્ટ 6, 2024 11:02 એ એમ (AM)

views 9

પેરિસ ઑલિમ્પિકમાં આજે ભારત હોકી, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ અને કુસ્તીની રમતો રમશે

પેરિસ ઑલિમ્પિકમાં આજે ભારત હોકી, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ અને કુસ્તીની રમતો રમશે. મેચ રમાનાર છે. હૉકીમાં ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતીય ટીમ આજે જર્મનીની ટીમનો મુકાબલો કરશે. ભારતીય સમય અનુસાર રાત્રે સાડા દસ વાગે સેમિફાઇનલ મેચ રમાશે. ટોકિયો ઑલિમ્પિક 2020માં કાંસ્ય ચંદ્રક જીતનારી ભારતીય ટીમ આ વખતે આગળ વધવાનો પ્રયાસ કરશે. સુવર્ણ ચંદ્રક માટે ભારતની આશા સમાન નિરજ ચોપરા આજથી ભાલાફેંકમાં તેમના અભિયાનની શરૂઆત કરી રહ્યા છે. બપોરે ત્રણ વાગીને 20 મિનિટે ગૃપ બીની ક્વૉલિફાઇંગ મેચમાં રમશે. એશિયન ગેમ્સમાં રજત ...

ઓગસ્ટ 2, 2024 1:57 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 1:57 પી એમ(PM)

views 2

પેરિસ ઓલિમ્પિકની બેડમિન્ટનની પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેન ચીનના ખેલાડી સામે રમશે

પેરિસ ઓલિમ્પિકમાં આજે સાતમા દિવસે અનેક ભારતીય ખેલાડીઓ નિશાનેબાજી,તીરંદાજી, બેડમિન્ટન, જુડો, હોકી અને એથ્લેટિક્સની સ્પર્ધામાં ભાગ લેશે.નિશાનેબાજીમાં મનુ ભાકર મહિલાઓની 25 મીટર સ્પર્ધામાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે, જ્યારે બેડમિન્ટન પુરુષ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો ચીની-તાઇપેઇના ચાઉ-તિયેન-ચેન સામે થશે.પુરુષ હૉકી પૂલ મેચમાં આજે સાંજે ભારત અને ઑસ્ટ્રેલિયા ટકરાશે. ભારતીય ટીમ અગાઉ ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. જૂડોમાં મહિલાઓની 78 કિલોગ્રામથી વધુ વજન વર્ગ શ્રેણીમાં ભ...

જુલાઇ 15, 2024 9:21 એ એમ (AM) જુલાઇ 15, 2024 9:21 એ એમ (AM)

views 26

સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા – CUET-UGના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા લેવાશે

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTAએ જાહેરાત કરી છે કે, સામાન્ય યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા CUET-UG ના અસરગ્રસ્ત ઉમેદવારોની પુનઃ પરીક્ષા 19 જુલાઈએ લેવાશે. આ પરીક્ષા સીબીટી એટલે કે, કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ માધ્યમથી લેવાશે. ઉમેદવારોને તેમના વિષય કોડનો ઉલ્લેખ કરીને ઈ-મેલ દ્વારા માહિતી મોકલવામાં આવી છે. પરીક્ષાના પ્રવેશપત્ર ટૂંક સમયમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે. NTAએ કહ્યું કે, વિષય નિષ્ણાતોના પ્રતિસાદના આધારે ફાઇનલ આન્સર કી તૈયાર કરવામાં આવી રહી છે, જે ઑનલાઇન મળેલા વાંધાઓને ધ્યાને લઈ સત્તાવાર વેબસાઇટ પર ટૂંક...

જુલાઇ 9, 2024 10:42 એ એમ (AM) જુલાઇ 9, 2024 10:42 એ એમ (AM)

views 12

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થાને નીટ યુજી પેપર ગેરરિતી કેસમાં અહેવાલ નિર્દેશ કર્યો

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરિક્ષા સંસ્થા- એનટીએને નીટ યુજી પેપર ગેરરિતી કેસમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. અદાલતે સીબીઆઇને આ કેસમાં તેણે અત્યાર સુધી કરેલી તપાસ અંગેનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યો છે. અદાલતે એનટીએ, કેન્દ્ર સરકાર અને સીબીઆઇને આવતીકાલે તેમનાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસમાં વધુ સુનાવણી ગુરૂવારે થશે. નીટ યુજી પરિક્ષામાં ગેરરિતી અને અનિયમિતતા થઈ હોવાનો આક્ષેપ કરતી અને નવેસરથી પરિક્ષા લેવાનો નિર્દેશ આપવાની માંગણી કરતી સંખ્યાબંધ અરજીઓ પર મુખ્ય ન્યા...