સપ્ટેમ્બર 26, 2024 12:32 પી એમ(PM)

views 8

ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે.

ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે. આ ટ્રેન દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થશે. આ સુવિધા શરૂ થવાથી પ્રવાસીઓ ગુજરાતના મુખ્ય આધ્યાત્મિક અને વારસાના સ્થળોની મુલાકાત સરળતાથી લઈ શકશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનના રૂટમાં પ્રથમ વખત વડનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કીર્તિ તોરણ, હાટકેશ્વર મંદિર અને રેલ્વે સ્ટેશન પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણના કેન્દ્ર બની રહેશે. દેશવાસીઓને ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા સ્થળોની મુલાકત લઈ શકે તેવા ઉદ્દેશ્ય સાથે ભારતીય રેલવે કેટરિં...

સપ્ટેમ્બર 26, 2024 12:05 પી એમ(PM)

views 14

હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ગઈ કાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈ કાલે સવારે છ વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં રાજ્યનાં 125 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો. સુરત શહેર અને વડોદરા તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ, નવસારી તથા પ્રાંતિજ તાલુકામાં અઢી ઇંચ અને સુરત જિલ્લાનાં માંડવી તથા નવસારીના ગણદેવી તાલુકામાં બે-બે ઇંચ વરસાદ પડ્યો હતો. ઉમરપાડામાં રાત્રિનાં 8થી 10 વાગ્યા દરમિયાન જ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં ...

સપ્ટેમ્બર 26, 2024 11:33 એ એમ (AM)

views 18

રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે.

રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો સોલર પાર્ક, વિન્ડપાર્ક અથવા હાઇબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે. વર્ષ 2030 સુધીમાં ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 500 ગિગાવોટ તેમજ ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 100 ગિગાવોટ સુધી પહોંચડવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે તેમ રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું. વધુમાં તેમણે ઉમેર્યું કે આ નિર્ણયથી અંદાજિત 300 મેગાવોટના પ્રોજેક્ટ કાર્યાન્વિત થઈ શકશે અને આગામી ચાર વર્ષમાં જાહેર ઉપયોગમાં બે ગીગાવૉટના નવા પ્રોજેક્ટ પણ કાર્યરત થશે. જેનાથી અંદાજિત એક લાખ જેટલા પ્ર...

સપ્ટેમ્બર 26, 2024 11:23 એ એમ (AM)

views 22

ભારતીય કપાસ નિગમ લિમિટેડ- CCI કપાસ પકવતા ખેડૂતો પાસેથી આગામી પહેલી ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે.

ભારતીય કપાસ નિગમ લિમિટેડ- CCI કપાસ પકવતા ખેડૂતો પાસેથી આગામી પહેલી ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે.આ માટે ખેડૂતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. નોંધણી માટે, ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રનો સંપર્ક કરી શકશે. આ ઉપરાંત ખેડૂતો મોબાઇલ એપ્લિકેશન કોટ-એલી અને નિગમની વેબસાઇટ www.cotcorp.org.inની મુલાકાત લઈ શકે છે. વધુ માહિતી માટે ખેડૂતો અમદાવાદ ખાતેની શાખાનો સંપર્ક કરી શકે છે તેમ નિગમની યાદીમાં જણાવાયું છે.

સપ્ટેમ્બર 26, 2024 11:16 એ એમ (AM)

views 14

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહાનગરોનાં પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને સ્થળ મુલાકાત કરવા સૂચના આપી

રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલવા જે-તે શહેરના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહાનગરોનાં પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને સ્થળ મુલાકાત કરવા સૂચના આપી હતી તેમજ નાયબ પોલીસ કમિશનર અને મહાનગર પાલિકાના ઝોનલ અધિકારીઓને દર 15 દિવસે બેઠક કરીને ટ્રાફીકના પ્રશ્નોની સમસ્યાના ઉકેલ માટે તાકીદ કરી હતી. ગઇ કાલે અમદાવાદ શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે યોજાયેલી બેઠકમાં શ્રી સંઘવીએ દર મહિને આ ચારેય મહાનગરના પોલીસ ...

સપ્ટેમ્બર 26, 2024 10:52 એ એમ (AM)

views 27

જો કોઈપણ પરમાણુ શક્તિ સંપન્નરાષ્ટ્ર રશિયા પર હુમલો કરનાર દેશને સમર્થન આપે છે તો તેને હુમલામાં સામેલ ગણવામાં આવશે. – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે જો કોઈપણ પરમાણુ શક્તિ સંપન્નરાષ્ટ્ર રશિયા પર હુમલો કરનાર દેશને સમર્થન આપે છે તો તેને હુમલામાં સામેલ ગણવામાં આવશે. ગઈકાલે મોસ્કોમાં રશિયાની સુરક્ષા પરિષદની બેઠકમાં, શ્રી પુતિને જાહેરાત કરી હતી કે જો પરમાણુ શક્તિ સંપન્ન દેશના સમર્થનથી કોઈ પણ પરમાણુ રહિત દેશ રશિયા પર હુમલો કરે છે, તો આવી કાર્યવાહીને રશિયન સંઘ પર સંયુક્ત હુમલા તરીકે જોવામાં આવશે. રશિયન લશ્કરી થાણાઓ પર લાંબા અંતર સુધી હુમલો કરવા સક્ષમ પશ્ચિમી મિસાઇલોનો યુક્રેન દ્વારા ઉપયોગ કરવાની મંજૂર...

સપ્ટેમ્બર 26, 2024 10:28 એ એમ (AM)

views 27

ભારતના કમલ ચાવલાએ મંગોલિયાના ઉલાનબટારમાં IBSF વિશ્વ પુરુષ 6 રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી લીધી છે.

ભારતના કમલ ચાવલાએ મંગોલિયાના ઉલાનબટારમાં IBSF વિશ્વ પુરુષ 6 રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ચાવલાએ ફાઇનલમાં પાકિસ્તાનના અસજાદ ઇકબાલને 6-2થી હરાવીને તેનો પ્રથમ IBSF વિશ્વ ખિતાબ જીત્યો છે. મલકિત સિંહ, વિદ્યા પિલ્લઈ અને કીર્તન પાંડિયને ત્રણ કાંસ્ય ચંદ્રકો જીત્યા. ચાવલા વર્ષ 2017માં આ ટુર્નામેન્ટનો રનર-અપ હતો. ભારતની વિદ્યા પિલ્લઈએ મહિલા વર્ગમાં સેમિફાઇનલમાં હોંગકોંગની એનજી ઓન યી સામે 2-4ના સ્કોરથી હાર્યા બાદ કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.

સપ્ટેમ્બર 26, 2024 10:13 એ એમ (AM)

views 13

હવામાન વિભાગે અતિભારે વરસાદને પગલે મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, ગુજરાત, સિક્કિમ અને પશ્ચિમ બંગાળનાં કેટલાંક ભાગોમાં રેડ એલર્ટ જાહેર કર્યું

મુંબઇ અને તેના પરા વિસ્તારોમાં ગઈકાલથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઇ અને થાણેમાં આજે ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુલુન્ડ, ભાંડુપ અને અંધેરી સબવે સહિતનાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં ગઈ કાલે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન-BMC એ આજે મુંબઇમાં તમામ શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે. બીએમસીએ નાગરિકોને અનિવાર્ય હોય તો જ...

સપ્ટેમ્બર 26, 2024 9:33 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પુણેની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પુણેની મુલાકાત લેશે. ત્યાં તેઓ 22 હજાર 600 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી જિલ્લા અદાલતથી સ્વારગેટ સુધી શરૂ થનારી મેટ્રો ટ્રેનને પણ લીલીઝંડી આપશે. સુપર કોમ્પ્યુટિંગ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ દેશમાં વિકસિત આશરે 130 કરોડ રૂપિયાના મૂલ્યના ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર રાષ્ટ્રને સમર્પિત કરશે. અત્યાધુનિક વૈજ્...

સપ્ટેમ્બર 26, 2024 9:30 એ એમ (AM)

views 33

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 54.11 ટકા મતદાન નોંધાયું હતું.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધી 54.11 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે કહ્યું કે26 વિધાનસભા મતવિસ્તારો માટેમતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનરજ્ઞાનેશ કુમાર અને ડૉ. સુખબીર સિંહ સંધુએ સુચારૂ મતદાન થાય તે માટે સમગ્ર મતદાન પ્રક્રિયાપર દેખરેખ રાખી હતી.શ્રી રાજીવ કુમારે કહ્યું કે ખીણ અને પહાડી વિસ્તારોમાં જ્યાં ભયનું વાતાવરણ ઊભું કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો ત્યાં લોકો હવે લોકતાંત્રિક પ્રક્રિયામા...