ઓક્ટોબર 19, 2024 10:40 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 10:40 એ એમ (AM)

views 14

અમદાવાદ ખાતે ‘ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી

અમદાવાદ ખાતે 'ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ ગવઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં અંગદાન પ્રત્યે લોકજાગૃતિ કેળવવા ઉપર ભાર મૂકાયો હતો. 'અંગદાન થકી જીવનદાન'એજ સર્વશ્રેષ્ઠ દાન છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.. જ્યારે અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં લીગલ સિસ્ટમ અને લીગલ ફ્રેમવર્કની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનો મત સર્વોચ્ચ અદાલતના ન્યાયમ...

ઓક્ટોબર 19, 2024 8:53 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 8:53 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઑક્ટોબરથી રશિયાના 2 દિવસના પ્રવાસે જશે. તેઓ 16મા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશના બ્રિક્સ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. કઝાનમાં યોજાનારા આ બ્રિક્સ સંમેલનનો વિષય વૈશ્વિક વિકાસ અને સલામતી માટે બહુ પક્ષવાદને મજબૂત કરવાનો છે. આ સંમેલન મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેએક મહત્વનું મંચ પૂરું પાડશે. તેમજ બ્રિક્સ દેશો દ્વારા શરૂ કરાયેલી પહેલની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને ભવિષ્યમાં સહયાગો માટે સંભવિત ક્ષેત્રોની ઓળખ કરવાની તક પણપૂરી પાડશે. વિદેશ મંત્રાલયે ...

ઓક્ટોબર 19, 2024 8:43 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 8:43 એ એમ (AM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે. ગઈકાલે તેમણે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચાકવેરા સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ, ભારત અને મલાવી વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ મૂર્મુ અલ્જેરિયા અને મોરિટાનિયા સહિત ત્રણ આફ્રિકન દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ગુરુવારે મલાવી પહોંચ્યા હતા. આ ત્રણ આફ્રિકન દેશોની મુલાકાત લેનાર તે પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ છે. G-20 ન...

ઓક્ટોબર 19, 2024 8:37 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 8:37 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે “કર્મયોગી સપ્તાહ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ”નો પ્રારંભ કરાવશે. આ સપ્તાહ અંતર્ગત દરેક કર્મયોગીએ ઓછામાં ઓછા ચાર કલાકની યોગ્યતા સાથે જોડાયેલ શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે. આ માટે મંત્રાલયો અને વિભાગ ક્ષેત્ર-વિશિષ્ય ક્ષમતાઓને વધારવા માટે વર્કશૉપ અને સેમિનારનું આયોજન કરશે. રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ - NLW વ્યક્તિગત સહભાગીઓ, મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના જોડાણ દ્વારા શીખવા માટે સમર્પિત રહેશે. NLW દરમિયાન દરેક કર્મયોગી ઓછામાં ઓછા 4 કલાકની યોગ્યતા-સંબંધિત શિક...

ઓક્ટોબર 16, 2024 9:40 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 9:40 એ એમ (AM)

views 13

ભારત ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં આજે ન્યૂ ઝિલેન્ડ સામે રમશે.

ભારત ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં આજે ન્યૂ ઝિલેન્ડ સામે રમશે. બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આ મેચ સ્થાનિક સમય અનુસાર સવારે સાડા નવ વાગ્યે શરૂ થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 2012-13 સીઝન બાદથી ઘરઆંગણે સતત 19મી શ્રેણી જીતવાનો લક્ષ્ય પણ બનાવશે. બીજી ટેસ્ટ 24થી 28 ઑક્ટોબર સુધી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ એકથી પાંચ નવેમ્બર સુધી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

ઓક્ટોબર 16, 2024 9:22 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 9:22 એ એમ (AM)

views 7

નેશનલ કૉન્ફરન્સ પક્ષના નેતા ઑમર અબ્દુલ્લા આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે.

નેશનલ કૉન્ફરન્સ પક્ષના નેતા ઑમર અબ્દુલ્લા આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે. ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા આજે સવારે સાડા 11 વાગ્યે શ્રીનગરના શેર-એ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર ખાતે યોજાનારા કાર્યક્રમમાં શ્રી અબ્દુલ્લા અને તેમના મંત્રી પરિષદને શપથ લેવડાવશે. તાજેતરમાં પૂરી થયેલી વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સ પક્ષને બહુમતી મળતા ઉપ-રાજ્યપાલે તેમને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી વર્ષ 2014માં યોજાઈ હતી. અમારા સંવાદદ...

ઓક્ટોબર 16, 2024 9:00 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 9:00 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સેવા, ખેતી અને ટકાઉ શહેરો પર કેન્દ્રીત ત્રણ A.I. શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપનાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય સેવા, ખેતી અને ટકાઉ શહેરો પર કેન્દ્રીત ત્રણ A.I. શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપનાની પ્રશંસા કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના એક સંદેશના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘આ ટેક્નિક, નવિનતા અને A.I. માં અગ્રણી બનવાના ભારતના પ્રયાસમાં એક મહત્વનું પગલું છે.’ શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ઉત્કૃષ્ટતા કેન્દ્ર દેશની યુવાશક્તિને મદદરૂપ થશે અને ભારતને ભવિષ્યના વિકાસનું કેન્દ્ર બનાવવામાં યોગદાન આપશે.

ઓક્ટોબર 16, 2024 8:42 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 8:42 એ એમ (AM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જેરિયાના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ પ્રવાસના બીજા તબક્કામાં આજે મૉરિટાનિયા માટે રવાના થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જેરિયાના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ પ્રવાસના બીજા તબક્કામાં આજે મૉરિટાનિયા માટે રવાના થશે. રાષ્ટ્રપતિએ ભારત અને અલ્જેરિયા વચ્ચેને સંબંધને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉચ્ચ સ્તરની નેતાઓ અને પ્રતિનિધિમંડળની સાથે વિવિધ દ્વિપક્ષી બેઠક યોજી હતી. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, ‘મૉરિટાનિયાના એક દિવસના પ્રવાસમાં રાષ્ટ્રપતિ અનેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ મૉરિટાનિયાના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ આઉલ્દ ગઝૌઆની અને અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષી બેઠક તેમજ મૉરિટાનિયામાં ભારતીય સ...

ઓક્ટોબર 16, 2024 8:36 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 8:36 એ એમ (AM)

views 6

‘હવે સમય આવી ગયો છે કે પોલીસ વ્યવસ્થા દેશના નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવા આગળ આવે.’ – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે પોલીસ વ્યવસ્થા દેશના નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવા આગળ આવે.’ શ્રી શાહે કહ્યું કે, ‘દેશની સરહદોની અંદર થતા ગુનાઓને ઘટાડવા માટે પોલીસ વ્યવસ્થાએ સજાગ રહેવું જોઈએ અને હવે એ સમય આવી ગયો છે કે નાગરિકોને ઓછામાં ઓછા સમયમાં ન્યાય મળે.’ ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવાના વર્ષ 2023ની બેચના 76 પ્રૉબેશનર્સ અધિકારીઓ સાથે સંવાદ કરતા શ્રી શાહે આમ જણાવ્યું હતું. શ્રી શાહે કહ્યુ કે, ‘વર્તમાનમાં ગુના અને ગુનાને શોધવા માટેના નેટવર્ક અને પ્...

ઓક્ટોબર 3, 2024 11:53 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 11:53 એ એમ (AM)

views 4

પોરબંદર જિલ્લાનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું

પોરબંદર જિલ્લાનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામ ખાતે 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું… કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામો સુધી પાણી, રોડ આરોગ્ય સહિતની સુવિધાઓ પહોંચી રહી છે અને ગામડાઓ હવે સમૃદ્ધિનાં માર્ગ તરફ આગળ વધી રહ્યાં છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં મકાનમાં આરોગ્ય સુવિધાઓની સાથે સાથે તેને સંલગ્ન વ્યવસ્થા તેમજ પાર્કિંગ વગેરેથી સુવિધાઓ છે. ખા...