ઓગસ્ટ 20, 2024 9:06 એ એમ (AM) ઓગસ્ટ 20, 2024 9:06 એ એમ (AM)

views 12

ભાવનગર જિલ્લા યોગ ચેમ્પિયનશીપમાં ઋચા ત્રિવેદી બે સુવર્ણ ચંદ્રક જીતી ડિસ્ટ્રીક્ટ ચેમ્પિયન બન્યાં

ભાવનગર જિલ્લા યોગ ચેમ્પિયનશીપમાં ઋચા ત્રિવેદી બે સુવર્ણ ચંદ્રક જીતી ડિસ્ટ્રીક્ટ ચેમ્પિયન બન્યાં છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, નવમાં ધોરણમાં ભણતાં ઋચા છેલ્લાં નવ વર્ષથી યોગની તાલિમ મેળવી રહી છે અને ઘણી રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ચૂક્યાં છે. ઋચા આગામી 22થી 26 ઓગસ્ટ દરમિયાન વિમેન્સ યોગ પ્રીમિયમ લીગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

ઓગસ્ટ 20, 2024 9:05 એ એમ (AM) ઓગસ્ટ 20, 2024 9:05 એ એમ (AM)

views 13

પશ્ચિમ રેલવે દ્વારા 11 સ્પેશિયલ ટ્રેનને ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી

પશ્ચિમ રેલવે દ્વારા 11 સ્પેશિયલ ટ્રેનને ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મુસાફરોની સુવિધા અને માંગને પહોંચી વળવા રેલવે દ્વારા વિશેષ ભાડા સાથે 27 જોડી ટ્રેનો જે ઓગસ્ટ સુધી દોડવાની હતી તે તમામ ટ્રેનો ડિસેમ્બર સુધી દોડાવવામાં આવશે. આ તમામ ટ્રેનો માટે રિઝર્વેશન આજથી શરૂ થશે. આ ટ્રેનોમાં બ્રાંન્દ્રા ટર્મિનસ – ભાવનગર, બાંદ્રા ટર્મિનસ-ગાંધીનગર, ઓખા-ગાંધીધામ, અમદાવાદ-પટના, અમદાવાદ-દાનપુર, રાજકોટ-મહેબુબનગર, સાબરમતી-પટના, ભાવનગર-દિલ્હી કેન્ટ, ગાંધીધામ-બોટાદનો સમાવેશ થાય છે.

ઓગસ્ટ 20, 2024 9:04 એ એમ (AM) ઓગસ્ટ 20, 2024 9:04 એ એમ (AM)

views 8

મહેસાણા જિલ્લામાં આ વર્ષે 2 લાખ 86 હજાર હેકટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ રખાયો

મહેસાણા જિલ્લામાં આ વર્ષે 2 લાખ 86 હજાર હેકટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ રખાયો છે. તેની સામે 1 લાખ 97 હજાર હેકટર જમીનમાં વાવેતર થઈ ગયું છે.જિલ્લાના 10 તાલુકાઓમાં સતલાસણામાં 96 ટકા વાવેતર થઇ ગયું છે.60 હજાર હેકટર જમીનમાં તેલીબિયાંનું વાવેતર થયું છે, જ્યારે મગફળી 22 હજાર હેકટર જમીનમાં વાવેતર થયું છે.જ્યારે તલનું 1 હજાર 202 હેકટરમાં, દિવેલાનું 36 હજાર 316 હેકટરમાં, કઠોળનું 13 હજાર 452 હેકટરમાં, કપાસનું 33 હજાર 402 હેકટર જમીનમાં વાવેતર થયું છે.

ઓગસ્ટ 20, 2024 9:03 એ એમ (AM) ઓગસ્ટ 20, 2024 9:03 એ એમ (AM)

views 8

રાજકોટમાં 104 વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળા નંબર 93માં પ્રવેશ મેળવ્યો

રાજકોટમાં 104 વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળા નંબર 93માં પ્રવેશ મેળવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળાનાં આચાર્ય વનિતા રાઠોડ જણાવે છે કે, દર વર્ષે 100થી વધુ વિદ્યાર્થી ખાનગી શાળા છોડી આ શાળામાં પ્રવેશ મેળવે છે. આ વર્ષે બાલવાટીકા અને ધોરણ 1ની સંખ્યા 150 જેટલી છે. હાલમાં શાળામાં 850 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલી વિનોબા ભાવે સરકારી શાળાંમાં નવી બેન્ચ, કમ્પ્યુટર લેબ, મેથ્સ અને સાયન્સ કોર્નર છે. વિદ્યાર્થીઓ માટે એક્સપ...