સપ્ટેમ્બર 18, 2024 9:14 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 9:14 એ એમ (AM)

views 133

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઈ રહ્યું છે. સાત જિલ્લાઓની 24 બેઠકો પર સવારે સાત વાગે મતદાનની શરૂઆત થઈ હતી. 23 લાખથી વધુ મતદારો, 90 અપક્ષ સહિત 219 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. બીજા તબક્કાનું મતદાન આ મહિનાની 25મી તારીખે થશે અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે થશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

સપ્ટેમ્બર 18, 2024 9:08 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 9:08 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે. દરમિયાન તેઓ 21 સપ્ટેમ્બરે વિલમિન્ગ્ટૉનમાં યોજનારા ચોથા ક્વાડ સંમેલનમાં હજરી આપશે. અમેરિકાની અપીલને પગલે ભારત 2025માં આ સંમેલનની મેજબાની કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સંમેલનમાં નેતાઓ છેલ્લા એક વર્ષમાં ક્વાડ દ્વારા હાંસલ કરેલી પ્રગતિની સમીક્ષા કરશે. તેઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોને તેમના વિકાસ લક્ષ્યો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે આગામી વર્ષનો ઉદ્દેશ્ય નક્કી કરશે. શ્રી મોદી આ મહિનાની 23મી તારી...

સપ્ટેમ્બર 18, 2024 8:51 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 8:51 એ એમ (AM)

views 6

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે.

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારો અને ખાનગી ઉત્પાદકો સહિત વિવિધ હિત ધારકોએ આગામી 6 વર્ષમાં નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સમાં કુલ 32.45 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે, ઊર્જા ક્ષેત્રે આવી રહેલા બદલાવો વચ્ચે ભારત અગ્રેસર છે. વધુમાં તેમણે કહ્યું કે લોકોમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા વિ...

સપ્ટેમ્બર 18, 2024 8:42 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 8:42 એ એમ (AM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની ત્રણ રાજ્યોની મુલાકાતે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડની ત્રણ રાજ્યોની મુલાકાતે જશે. તેઓ આજે જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નૉલોજી (MNIT)ના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બાગડે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હાજરી આપશે. આવતીકાલે, રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશની મુલાકાતે છે. જ્યાં તેઓ સફાઈ મિત્ર સંમેલનને સંબોધિત કરશે. ઉપરાંત ઉજ્જૈન ખાતે ઈન્દોર-ઉજ્જૈન સિક્સ લેન રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તે ઈન્દ...

સપ્ટેમ્બર 12, 2024 11:42 એ એમ (AM) સપ્ટેમ્બર 12, 2024 11:42 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી તમામ સભ્ય દેશો દ્વારા "દિલ્હી ડેક્લરેશન" ને અપનાવવાની જાહેરાત પણ કરશે. દિલ્હી ડેક્લરેશન એ પ્રદેશના ઉડ્ડયન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની મહત્વાકાંક્ષી માર્ગદર્શિક છે. આ પરિષદ અને દિલ્હી ડેક્લરેશનનો સ્વીકાર એશિયા-પ્રશાંત દેશોનાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સલામતી અને સાતત્યતાને આગળ ધપાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગ...

સપ્ટેમ્બર 11, 2024 10:44 એ એમ (AM) સપ્ટેમ્બર 11, 2024 10:44 એ એમ (AM)

views 14

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને નજીકનાં વિસ્તારોમાં હવાનું હળવું દબાણ ઉત્તર મધ્યપ્રદેશનાં મધ્ય ભાગો અને ઉત્તરપ્રદેશમાં દબાણમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી છ દિવસ માટે આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. 14 સપ્ટેમ્બર સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં આવી જ સ્થિતિ પ્રવર્તવાની સંભાવના છે.

સપ્ટેમ્બર 11, 2024 10:09 એ એમ (AM) સપ્ટેમ્બર 11, 2024 10:09 એ એમ (AM)

views 6

ભારતીય જનતા પાર્ટીએ બીજી સપ્ટેમ્બરે તેની રાષ્ટ્રીય સભ્યપદ ઝુંબેશની પ્રારંભના માત્ર આઠ દિવસમાં બે કરોડથી વધુ નવા સભ્યોની નોંધણી કરી

ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે પક્ષે બીજી સપ્ટેમ્બરે તેની રાષ્ટ્રીય સભ્યપદ ઝુંબેશની પ્રારંભના માત્ર આઠ દિવસમાં બે કરોડથી વધુ નવા સભ્યોની નોંધણી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ સભ્ય બનીને આ ઝૂંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. એક નિવેદનમાં, ભાજપના મહામંત્રી વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે ભાજપના વડા જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મહામંત્રી (સંગઠન) બીએલ સંતોષે નવ રાજ્યોના હોદેદ્દારો સાથે સભ્યપદ અભિયાનની સમીક્ષા કરી હતી. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓ...

સપ્ટેમ્બર 11, 2024 9:37 એ એમ (AM) સપ્ટેમ્બર 11, 2024 9:37 એ એમ (AM)

views 9

વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઇ કાલે બર્લિનમાં જર્મનીના વિદેશમંત્રી એનાલેના બેયરબોક સાથે ચર્ચા કરી.

વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઇ કાલે બર્લિનમાં જર્મનીના વિદેશમંત્રી એનાલેના બેયરબોક સાથે ચર્ચા કરી. બેઠક બાદ અખબારી નિવેદનમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે, બેઠકમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ, ખાસ કરીને ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષ અને તેની અસરો સહિતનાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ. તેમણે વૈશ્વિક મુદ્દાઓ અને સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા પર પણ ચર્ચા કરી. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે, ભારત જર્મનીમાં વિશ્વાસપાત્ર અને લવચીક પુરવઠા શ્રુંખલા, વિવિધ ઉત્પાદન તેમજ વિશ્વાસપાત્ર ડિજિટલ ભાગીદારી બનાવવામાં યોગદાન આપી શકે છે.

સપ્ટેમ્બર 5, 2024 12:08 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2024 12:08 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા દર્શાવી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા દર્શાવી છે. બનાસકાંઠા અને પાટણમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે અન્ય વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમ જ મોરબી અને કચ્છમાં આવતીકાલે કેટલાંક વિસ્તારમાં છૂટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે.રાજ્યના ગઈકાલે સવાર છથી આજે રાત્રે બે વાગ્યા સુધી 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ પાટણના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ...

સપ્ટેમ્બર 5, 2024 11:17 એ એમ (AM) સપ્ટેમ્બર 5, 2024 11:17 એ એમ (AM)

views 6

વર્ષ 2030 સુધીમાં ભારતનો કાપડ ઉદ્યોગ 350 બિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. – કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું છે કે વર્ષ 2030 સુધીમાં ભારતનો કાપડ ઉદ્યોગ 350 બિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. અને આનાથી દેશમાં ત્રણ કરોડ પચાસ લાખ નોકરીઓનું સર્જન થશે. ભારત-ટેક્સ 2025 ની ઇવેન્ટ પહેલા, શ્રી સિંહે આશા વ્યક્ત કરી હતી કે ભારત તેની બ્રાન્ડ અને ટકાઉ ઇકો-ફ્રેન્ડલી ટેક્સટાઇલ ઉત્પાદનો માટે વૈશ્વિક ઓળખ મેળવશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની pli સ્કીમ કપડા ઉદ્યોગમાં ઉત્પાદન અને બ્રાન્ડિંગ વધારવામાં મદદરૂપ થશે. શ્રી સિંહે માહિતી આપી હતી કે ગ્લોબલ ટેક્સટાઇલ એક્સ્પો – ભારત ...