ઓક્ટોબર 24, 2024 8:22 પી એમ(PM)
21
રશિયામાં 16મી બ્રિક્સ સમિટને સંબોધતાં વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે કહ્યું, કે અસરકારક રીતે સંઘર્ષ અને તણાવને દૂર કરવો એ સમયની જરૂરિયાત છે
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે બ્રિક્સ પ્લસ ફોર્મેટમાં 16મી બ્રિક્સ સંમેલનને સંબોધતા કહ્યું, કે “અસરકારક રીતે સંઘર્ષ અને તણાવને દૂર કરવો એ આજે સમયની જરૂરિયાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી. વિવાદો અને મતભેદોને વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા ઉકેલવા જોઈએ. એકવાર કરાર થઈ જાય, પછી તેઓનું પ્રમાણિકપણે સન્માન કરવું જોઈએ. "આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન થવું જોઈએ અને આતંકવાદ માટે શૂન્ય સહિષ્ણુતા હોવી જોઈએ." તેમણે મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે ભારતની સ...