ઓગસ્ટ 9, 2024 7:39 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 7:39 પી એમ(PM)

views 12

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા રાજકોટથી તિરંગા યાત્રાનો આરંભ કરાવશે

દેશભરમાં 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે આવતીકાલે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા રાજકોટથી તિરંગા યાત્રાનો આરંભ કરાવશે. બહુમાળી ભવનથી જ્યુબેલી ચોક સુધી યોજાનાર આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ રાષ્ટ્રભાવના સાથે જોડાશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ‘હર ઘર તિરંગા યાત્રા યોજાનાર છે. તેમાંથી આ સૌપ્રથમ યાત્રા છે. આ તિરંગા યાત્રામાં કણબી રાસ, મણીયારો રાસ, બેડા નૃત્ય, ડોકા...

ઓગસ્ટ 9, 2024 7:28 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 7:28 પી એમ(PM)

views 9

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાયો

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે, નીફટ અને એન્જિનિયરિંગ કોલેજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો તેમજ શાળાના પ્રિન્સિપાલ અને માજી સેના અધિકારીઓને તિરંગા આપવામાં આવ્યા. આવતીકાલે કચ્છના કોટેશ્વર, માંડવી બીચ, માતાના મઢ તથા ધોળાવીરામાં અને ૧૧ ઓગસ્ટના રોજ ભુજમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રા યોજાશે. તેમાં પોલીસ જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોક નૃત્ય કલાકારો, રમતવીરો, તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. ...

ઓગસ્ટ 9, 2024 10:28 એ એમ (AM) ઓગસ્ટ 9, 2024 10:28 એ એમ (AM)

views 14

રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ તિરંગા વિતરણ કાર્યક્રમ યાજોઇ રહ્યો છે

દાહોદ જિલ્લામાં આવનાર 15મી ઓગસ્ટને ધ્યાને રાખીને જિલ્લા કલેકટરની અધ્યક્ષતા હેઠળ તેમજ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ સેન્ટ્રલ બસ સ્ટેશનથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. શરણાઈ, ઢોલ અને નગારાના તાલ સાથે આદિવાસી નૃત્ય તેમજ બેન્ડ વડે દેશ ભક્તિ ગીતના સૂરો રેલાવતા વિદ્યાર્થીઓએ રેલીની શરૂઆત કરી હતી. તિરંગા યાત્રા દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતાની જય બોલાવતા જઈને દેશ ભક્તિ ગીતો સાથે રેલીમાં કદમ સાથે કદમ મિલાવતા જઈને રેલીમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગ...

ઓગસ્ટ 9, 2024 8:22 એ એમ (AM) ઓગસ્ટ 9, 2024 8:22 એ એમ (AM)

views 8

રાજ્ય સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો ગઈકાલથી આરંભ થયો.

રાજ્ય સહિત દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો ગઈકાલથી આરંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના પોતાના નિવાસસ્થાનેથી ત્રિરંગો લહેરાવી “હર ઘર તિરંગા અભિયાન”નો પ્રારંભ કરાવ્યો હતો.. રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી આ અભિયાનની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં તિરંગા યાત્રા યોજાશે.. રાજ્યમાં આ અભિયાન અંતર્ગત 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરાશે. આ વર્ષે “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત રાજ્યભરમાં તિરંગા રેલી, તિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કૉન્સર્ટ, તિરંગા કે...

ઓગસ્ટ 8, 2024 8:07 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 8:07 પી એમ(PM)

views 6

હર ઘર તિરંગા યાત્રા અભિયાનના ભાગરૂપે રાજ્યભરમાં લોકજાગૃતિના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે

હર ઘર તિરંગા યાત્રા અભિયાનના ભાગરૂપે રાજ્યભરમાં લોકજાગૃતિના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે... ગાંધીનગર જીલ્લાના પોલીસ વડા દ્વારા ચ-0 સર્કલ પાસે વાહનચાલકો તેમજ શાળાના બાળકોને અઢીસો જેટલા રાષ્ટ્રધ્વજનું વિતરણ કરી અભિયાનમાં સહભાગી થવા અપીલ કરાઇ... અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામ નગરસેવકના બજેટમાંથી એક લાખ રૂપિયા ફાળવીને દરેક વોર્ડમાં 21 હજાર તિરંગાનું વિતરણ કરવામાં આવશે. રાજકોટમાં 10મીએ યોજાનાર હર ઘર તિરંગા યાત્રા અંગે મહાનગરપાલિકાના કમિશ્નરે આજે પત્રકાર પરિષદ...

ઓગસ્ટ 6, 2024 7:23 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 7:23 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 9 થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9 થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. શ્રી શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય આંદોલન બની ગયું છે. આ અભિયાને દરેક ભારતીયમાં મૂળભૂત એકતા જાગૃત કરી છે.

ઓગસ્ટ 4, 2024 8:56 એ એમ (AM) ઓગસ્ટ 4, 2024 8:56 એ એમ (AM)

views 9

અમિત શાહની દેશવાસીઓને 9 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો લહેરાવા અપીલ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય આંદોલન બની ગયું છે. આ અભિયાને દરેક ભારતીયમાં મૂળભૂત એકતા જાગૃત કરી છે.