ઓક્ટોબર 26, 2024 10:06 એ એમ (AM)
9
વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવતીકાલથી કર્નલ સી. કે. નાયડુ ટ્રૉફી સ્પર્ધાની મેચનો આરંભ થશે.
વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવતીકાલથી કર્નલ સી. કે. નાયડુ ટ્રૉફી સ્પર્ધાની મેચનો આરંભ થશે, જે 30મી ઓકટોબર સુધી ચાલશે. આ મેચ બી ગ્રુપમાંથી ગુજરાત અને સૌરાષ્ટ્રની ટીમ વચ્ચે યોજાશે. ગુજરાત અને સૌરાષ્ટ્ર બંને ટીમ આ સ્પર્ધાની 2-2 મેચ રમી ચૂકી છે. બી ગ્રુપના પોઇન્ટ ટેબલમાં ગુજરાતની ટીમ 25 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને અને સૌરાષ્ટ્રની ટીમ પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે, સૌરાષ્ટ્રની ટીમમાં અંશ ગોસાઈ, સમર ગજ્જર, રક્ષિત મહેતા જેવા ઉભરતા ખેલાડીઓ રમશે. ...