માર્ચ 26, 2025 7:42 પી એમ(PM)

views 24

સંસદમાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 અને લોકસભામાં ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય ખરડો 2025 પસાર

સંસદમાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 પસાર થયો છે. રાજ્યસભાએ આ ખરડાને મંજૂરી આપી છે. જોકે, લોકસભામાં આ વિધેયક પહેલા જ પસાર થઈ ગયું છે. જ્યારે લોકસભામાં આજે ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય ખરડો 2025 પસાર કરાયો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ચર્ચાનો જવાબ આપતાં કહ્યું, સરકારે દેશમાં બૅન્કિંગ ક્ષેત્રને મજબૂત કરવા અનેક પરિવર્તન કર્યા છે. તેમણે કહ્યું, વર્ષ 2014માં બૅન્ક દબાણમાં હતી અને નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક મજબૂત બૅન્કિંગ પ્રણાલી ઢાંચો તૈયાર કર્યો. ત્રિભુવન સહકારી ...

માર્ચ 12, 2025 6:55 પી એમ(PM)

views 16

સંસદે તેલક્ષેત્ર નિયમન અને વિકાસ સુધારા ખરડો, 2024 પસાર કર્યો

સંસદે તેલક્ષેત્ર નિયમન અને વિકાસ સુધારા ખરડો, 2024 પસાર કર્યો છે.આ ખરડો તેલક્ષેત્ર નિયમન અને વિકાસ અધિનિયમ, 1948માં સુધારો કરશે.તે ખનિજ તેલની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે, જેમાં કુદરતી રીતે બનતા હાઇડ્રોકાર્બન, કોલસામાંથી મળતા મિથેન અને શેલ ગેસનો સમાવેશ થાય છે. આ કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખનિજ તેલમાં કોલસો, લિગ્નાઇટ અથવા હિલીયમનો સમાવેશ કરવામાં આવશે નહીં.

ફેબ્રુવારી 13, 2025 5:38 પી એમ(PM)

views 18

વિપક્ષના વિરોધ વચ્ચે આજે સંસદના બંને ગૃહોમાં વક્ફ સુધારા બિલ 2024 સંબંધિત સંયુક્ત સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો

વિપક્ષના વિરોધ વચ્ચે આજે સંસદના બંને ગૃહોમાં વક્ફ સુધારા બિલ 2024 સંબંધિત સંયુક્ત સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. લોકસભામાં સંયુક્ત સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે અહેવાલ રજૂ કર્યો. આ અહેવાલ પર વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો. હોબાળા વચ્ચે, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે જો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા રિપોર્ટમાં અસંમતિ નોંધનો સમાવેશ કરવાની મંજૂરી આપે, જેની વિપક્ષી સભ્યો માંગ કરી રહ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીને તેની સામે કોઈ વાંધો નહીં હોય. કોંગ્રેસ, ડીએમકે, સમાજવાદી પાર્ટી, ટીએમસી અને અન્ય વિપક્ષી પક્...

ફેબ્રુવારી 7, 2025 2:37 પી એમ(PM)

views 18

શ્રીલંકા દ્વારા 97 માછીમારોની ધરપકડ કરવાના વિરોધમાં વિપક્ષના સાસદોએ સંસદ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ

શ્રીલંકા દ્વારા તમિલનાડુના માછીમારોની અટકાયતના મુદ્દા પર આજે અનેક વિપક્ષી સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડીએમકેના સાંસદો દયાનિધિ મારન, કનિમોઝી અને એ રાજા, કોંગ્રેસના સાંસદો હિબીડેન, આરજેડી નેતા મનોજ ઝા, સીપીઆઈના પી. સંતોષ વિરોધ કરી રહેલા સાંસદોમાં સામેલ હતા. મીડિયા સાથે વાત કરતા, કનિમોઝીએ કહ્યું કે, શ્રીલંકાના અધિકારીઓ દ્વારા લગભગ 97 માછીમારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને પાછા લાવવા જોઈએ. બાદમાં, તેમણે શૂન્ય કલાક દરમિયાન લોકસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો.

ફેબ્રુવારી 4, 2025 8:55 એ એમ (AM)

views 15

સંસદના સંયુક્ત અધિવેશનમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ગઈકાલે લોકસભામાં ચર્ચા થઈ.

સંસદના સંયુક્ત અધિવેશનમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ગઈકાલે લોકસભામાં ચર્ચા થઈ. દરમિયાન વિરોધ પક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિનાં સંબોધનની ટીકા કરી હતી. તેમણે બેરોજગારીના મુદ્દા પર ચિંતા વ્યક્ત કરતા એ વાત પર ભાર આપ્યો કે, દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. શ્રી ગાંધીએ કુલ ઘરેલું ઉત્પાદન- GDPમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો 15.3 ટકાથી ઘટીને 12 ટકા થવા અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. આ પહેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામવીર સિંહ બિધૂડીએ ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરતા જનક...

જાન્યુઆરી 31, 2025 8:50 એ એમ (AM)

views 16

રાષ્ટ્રપતિના સંબોધન સાથે સંસદના અંદાજપત્ર સત્રનો આજથી આરંભ થશે

સંસદના અંદાજપત્ર સત્રનો આજથી આરંભ થશે. સૌ પ્રથમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ લોકસભા અને રાજ્યસભા બંનેના ટૂંકા સત્રો દરમિયાન આર્થિક સર્વે રજૂ કરશે. અમારા સંવાદદાતા જણાવે છે કે આર્થિક સર્વેક્ષણની રજૂઆત સંસદમાં અંદાજપત્ર સત્રની સત્તાવાર શરૂઆત દર્શાવે છે.

જાન્યુઆરી 30, 2025 7:48 પી એમ(PM)

views 20

સંસદના આવતીકાલથી શરૂ થનારા અંદાજપત્ર સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ

સંસદના આવતીકાલથી શરૂ થનારા અંદાજપત્ર સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. સંસદ ભવન પરિસરમાં યોજાયેલી બેઠકમાં સરકારે સત્રના યોગ્ય સંચાલન માટે તમામ રાજકીય પક્ષના સહયોગની અપીલ કરી હતી. બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અંદાજપત્ર સત્રના પહેલા દિવસે આવતીકાલે સંસદના બંને ગૃહને સંયુક્તપણે સંબોધિત કરશે. (બાઈટઃ કિરેન રિજિજૂ,કેન્દ્રીય મંત્રી) શ્રી રિજિજૂએ જણાવ્યું કે, સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાની સાથે અંદાજપત્ર ...

જાન્યુઆરી 30, 2025 1:50 પી એમ(PM)

views 17

સંસદના બજેટ સત્ર પહેલા આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક ચાલી રહી છે

સંસદના બજેટ સત્ર પહેલા આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ, કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ અને ગૌરવ ગોગોઈ, ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાય, સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવ, બીજેડી સાંસદ સસ્મિત પાત્રા અને ડીએમકે સાંસદ ટી.આર. બાલુ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા છે. બેઠક દરમિયાન, સરકાર સંસદ સત્રનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગશે.

ડિસેમ્બર 12, 2024 7:24 પી એમ(PM)

views 17

સંસદના બંને ગૃહોમાં બંધારણ પર ચર્ચા માટે બે-બે દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે

સંસદના બંને ગૃહોમાં બંધારણ પર ચર્ચા માટે બે-બે દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે. લોકસભામાં 13 અને 14 ડિસેમ્બરે જ્યારે રાજ્યસભામાં 16-17 ડિસેમ્બરે બંધારણ અંગે ચર્ચા કરવામાં આવશે.. આ દિવસો દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજ પર ચર્ચા થવાની છે.જેને લઇને ભાજપ અને કોંગ્રેસે તેમના તમામ સાંસદોને વ્હિપ જારી કરીને સંસદમાં હાજર રહેવા જણાવ્યું છે.. સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરે શરૂ થયું હતું, જે 20 ડિસેમ્બર સુધી ચાલશે.

ડિસેમ્બર 10, 2024 8:15 પી એમ(PM)

views 12

સંસદના બંને ગૃહોમાં અવરોધ ચાલુ રહેતા દિવસભરની કાર્યવાહી ખોરવાઇ

સંસદના બંને ગૃહોમાં આજે પણ અવરોધ ચાલુ રહયો હતો., જેના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. આ સપ્તાહનો બીજો દિવસ છે જ્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલુ રહ્યા હતા. સંસદના બંને ગૃહોમાં શાસક પક્ષે કોંગ્રેસના નેતાઓ પર અમેરિકા સ્થિત મુખ્ય ફાઉન્ડેશન સાથે કથિત સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આનાથી દેશની બદનામી થઈ છે. બીજી તરફ, વિરોધ પક્ષના સભ્યોએ એક મોટા ભારતીય વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપોનો મુદ્દો ઉઠાવ્યો હતો.