માર્ચ 25, 2025 2:18 પી એમ(PM) માર્ચ 25, 2025 2:18 પી એમ(PM)

views 11

ભારતે UN માં કહ્યું હતું કે, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના ભાગ પર “ગેરકાયદેસર કબજો” ચાલુ રાખ્યો છે

ભારતે UN માં કહ્યું હતું કે, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના ભાગ પર "ગેરકાયદેસર કબજો" ચાલુ રાખ્યો છે. શાંતિ જાળવવાના સુધારાઓ પર સંયુક્ત રાષ્ટ્રની ચર્ચા દરમિયાન ભારતે જમ્મુ અને કાશ્મીરના "વારંવાર સંદર્ભો" માટે પડોશી દેશની ટીકા કરતા જણાવ્યું કે, પાકિસ્તાને પચાવી પાડેલો હિસ્સો ખાલી કરવો જ પડશે. સુરક્ષા પરિષદમાં બોલતા, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પાર્વતીનેની હરિશે કહ્યું કે, આ ટિપ્પણી "અયોગ્ય" હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો હતો, છે અને હંમેશા રહેશે....

ઓક્ટોબર 31, 2024 7:41 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 7:41 પી એમ(PM)

views 7

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે ક્યુબાના ઠરાવને સમર્થન આપ્યું છે

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે ક્યુબાના ઠરાવને સમર્થન આપ્યું છે . આ ઠરાવમાં ક્યુબા પર લાંબા સમયથી અમેરિકાના આર્થિક, વ્યાપારી અને નાણાકીય પ્રતિબંધનાં અંત નો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. તાજેતરની ચર્ચા દરમિયાન, યુએનમાં ભારતના પ્રથમ સચિવ, સ્નેહા દુબેએ ક્યુબાની અર્થવ્યવસ્થા અને લોકો પર પ્રતિબંધની નુકસાનકારક અસરો પર ભાર મૂક્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ટ સભા દ્વારા યોજાયેલા મતદાનમાં, 187 દેશોએ ઠરાવને સમર્થન આપ્યું હતું, માત્ર અમેરિકા અને ઇઝરાયેલે તેનો વિરોધ કર્યો હતો.