માર્ચ 25, 2025 2:18 પી એમ(PM) માર્ચ 25, 2025 2:18 પી એમ(PM)
11
ભારતે UN માં કહ્યું હતું કે, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના ભાગ પર “ગેરકાયદેસર કબજો” ચાલુ રાખ્યો છે
ભારતે UN માં કહ્યું હતું કે, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના ભાગ પર "ગેરકાયદેસર કબજો" ચાલુ રાખ્યો છે. શાંતિ જાળવવાના સુધારાઓ પર સંયુક્ત રાષ્ટ્રની ચર્ચા દરમિયાન ભારતે જમ્મુ અને કાશ્મીરના "વારંવાર સંદર્ભો" માટે પડોશી દેશની ટીકા કરતા જણાવ્યું કે, પાકિસ્તાને પચાવી પાડેલો હિસ્સો ખાલી કરવો જ પડશે. સુરક્ષા પરિષદમાં બોલતા, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પાર્વતીનેની હરિશે કહ્યું કે, આ ટિપ્પણી "અયોગ્ય" હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો હતો, છે અને હંમેશા રહેશે....