નવેમ્બર 15, 2024 2:06 પી એમ(PM)

views 11

હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ જાહેરાત કરી છે

હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ જાહેરાત કરી છે કે ગુરુગ્રામમાં આશરે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે 700 પથારીવાળી સરકારી હોસ્પિટલનું નામ શ્રી ગુરુનાનક દેવજીના નામ પર રખાશે. ઉપરાંત હરિયાણાની એક વિશ્વ વિદ્યાલયમાં ગુરુનાનક દેવજીના નામ પર એક ખુરશીની સ્થાપના કરાશે. મુખ્યમંત્રીએ ગઈકાલે વિધાનસભામાં પ્રથમ પાદશાહ શ્રી ગુરુનાનક દેવજીના 555મા પ્રકાશ પર્વની પૂર્વ સંધ્યાએ સત્તાવાર ઠરાવ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી. ગૃહે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો.