સપ્ટેમ્બર 2, 2024 3:36 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:36 પી એમ(PM)
9
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ;મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા
શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસ પ્રસંગે આજે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સવારે 10 વાગ્યા સુધીમાં 35 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને 25 જેટલી ધ્વજા પૂજા સંપન્ન થઈ હતી. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સહિત સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લહેરીના હસ્તે મહાદેવની પાલખી પૂજા કરી હતી. ત્યારબાદ સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હત...