ફેબ્રુવારી 23, 2025 8:10 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:10 એ એમ (AM)
5
કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને નિરીક્ષણ માટે રાષ્ટ્રીય સમિતિ બનાવવાની જાહેરાત કરી છે.
કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને નિરીક્ષણ માટે રાષ્ટ્રીય સમિતિ બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, રાજ્યસ્તરે પણ આ સમિતિઓ રચાશે, જે જિલ્લા વિકાસ અધિકારી મારફતે પ્રાકૃતિક ખેતીની પ્રગતિનો અહેવાલ સરકાર સુધી પહોંચાડશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગુરુકુલ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લેતા ગઈકાલે શ્રી ચૌહાણે આ જાહેરાત કરી હતી. દરમિયાન શ્રી ચૌહાણે કહ્યું, “શ્રી દેવવ્રત દ્વારા શરૂ કરાયેલું પ્રાકૃતિક ખેતી અભિયાન હવે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી અભિયાન તર...