ઓક્ટોબર 14, 2024 9:53 એ એમ (AM) ઓક્ટોબર 14, 2024 9:53 એ એમ (AM)

views 14

ભરૂચમાં વીજળી પડતાં ચાર વ્યક્તિના મોત : ચાર ઇજાગ્રસ્ત

ભરૂચ જિલ્લામાં વિજળી પડવાની બે અલગ અલગ ઘટનામાં ચાર વ્યક્તિના મોત થયા છે. ભરૂચ તાલુકાના પાદરીયા ગામમાં વીજળી પડવાથી ત્રણ વ્યક્તિના મોત થયાં છે. પાદરીયા ગામમાં લારી પર ઉભેલા પાંચ વ્યક્તિ પર વીજળી પડતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે ગંભીર રીતે દાઝી ગયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે અન્ય એક ઘટનામાં હાસોટ તાલુકાના આલિયાબેટ ખાતે પણ માછીમારી કરવા ગયેલા ચાર આદિવાસી યુવકો પર વીજળી પડવાથી એક આદિવાસી યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હ...

સપ્ટેમ્બર 26, 2024 8:15 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 8:15 પી એમ(PM)

views 6

સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓમાં 34 થી વધુ પશુઓના મોત થયા છે

સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓમાં 34 થી વધુ પશુઓના મોત થયા છે. જેમાં મુળી તાલુકાના ભેટ ગામે વિજળી પડવાથી 31 બકરીઓના મોત થયા હતા.. જ્યારે સરા ગામમાં એક ભેંસનું પણ વીજળી પડવાથી મોત થયું છે, જ્યારે થાનગઢ તાલુકાના તરણેતર ગામે ભેંસ તેમજ રૂપાવટી ગામે પશુનું મોત થયેલુ છે. આ ચારેય ગામમાં વિજળી પડવાથી પશુઓના મોત થવાની ઘટનાની જાણ તંત્રને કરવામાં આવી હતી.. તંત્ર દ્વારા પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે સહાય આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહેસાણાના ગોઝારીયા ગામ ખાતે વરસાદી માહોલ વ...

સપ્ટેમ્બર 21, 2024 10:47 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2024 10:47 એ એમ (AM)

views 6

ખેડૂતોને ચાર કલાક વધુ વીજળી આપવા મોઢવાડિયાની ઊર્જા મંત્રીને રજૂઆત

પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈને પત્ર લખીને તેમજ રૂબરુ મુલાકાત કરીને ખેડૂતોને વધુ સમય વીજળી આપવા માટે રજૂઆત કરી હતી. જે અંગે ઊર્જા મંત્રીએ વધુ વીજળી પૂરી પાડવા માટેની ખાતરી આપી હતી. ઊર્જા મંત્રી કનુ દેસાઈને કરેલી રજૂઆતમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેડુતોનો પાક માટે પીયતની જરૂરિયાત ઉભી થઈ છે. જેથી ખેડૂતોને દૈનિક 8 કલાક વીજળી મળે છે તેના સમયમાં વધારો કરીને 12 કલાક વિજળી આપવામાં આવે તેવી રજૂઆત ક...