જૂન 13, 2025 7:50 પી એમ(PM)

views 8

વિમાન અકસ્માતમાં ડીએનએ ટેસ્ટ પૂર્ણ કરી રવિવાર સાંજ સુધીમાં મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે

એર ઇન્ડિયા બોઇંગ 787 વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામના મૃતદેહને રવિવાર સાંજ સુધીમાં સોંપી દેવામાં આવશે. સિવિલ હોસ્પિટલ અમદાવાદના દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે સંબંધિત તમામને આ અંગે ફોનથી જામ કરાશે, અને રવિવાર સાંજ સુધીમાં તમામ મૃતદેહોના ડીએનએ ટેસ્ટ પુરા કરી દેવાશે. વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સંબંધીઓને ખાસ બોલાવીને તેમના ડીએનએ લેવામાં આવી રહ્યા છે. ઓળખના આધારે અત્યાર સુધીમાં સાત મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. કુલ 270 જેટલા પોસ્ટ મો...

જૂન 13, 2025 7:31 પી એમ(PM)

views 11

દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળી આવતા સાચું કારણ જાણવાનું સરળ બનશે

અમદાવાદમાં થયેલા જીવલેણ વિમાન દુર્ઘટનાની તપાસ ચાલુ છે, ફોરેન્સિક નિષ્ણાતો આજે ક્રેશ સ્થળની મુલાકાત લઈને વિગતવાર તપાસ કરી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થળ પરથી એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. તપાસકર્તાઓએ સ્થળ પરથી ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર પણ મેળવ્યું છે. અગાઉ, ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ સ્થળ પરથી ડિજિટલ વોઇસ રેકોર્ડર મેળવ્યું હતું.