નવેમ્બર 22, 2024 7:15 પી એમ(PM)

views 15

સુરેન્દ્રનગર જિલ્લામાં 623 ગામોમાં પશુધન વસ્તી ગણતરી હાથ ધરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં 623 ગામોમાં પશુધન વસ્તી ગણતરી હાથ ધરાઈ છે. દરમિયાન 16 જેટલી જાતના પશુઓની અને 219 પ્રજાતિઓની ગણતરી કરાશે. સમગ્ર દેશમાં આ નવેમ્બરથી ફેબ્રુઆરી 2025 સુધીના 4 માસ દરમ્યાન 21મી પશુ ગણતરી કરાશે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારત સરકાર દ્વારા બનાવાયેલી મોબાઈલ એપ્લિકેશનની મદદથી પશુપાલકોના ઘરે જઈ ગણતરી કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, દર પાંચ વર્ષે થતી આ વસતી ગણતરી, સરકારની પશુવિષયક યોજનાઓ, રોગચાળા નાબૂદી અને તે માટે આગોતરા સસીકરણ જેવી કામગીરી માટે ઉપયોગી બની રહે છે.