માર્ચ 9, 2025 7:21 પી એમ(PM) માર્ચ 9, 2025 7:21 પી એમ(PM)

views 3

રાજ્યમાં યોજાયેલી લોક અદાલતોમાં કુલ 4 લાખ 37 હજાર જેટલા પ્રિ-લિટીગેશન કેસોમાં સમાધાન કરાયું.

રાજ્યમાં યોજાયેલી લોક અદાલતોમાં કુલ 4 લાખ 37 હજાર જેટલા પ્રિ-લિટીગેશન કેસોમાં સમાધાન કરાયું. અને 75 કરોડ 39 લાખ રૂપિયાના ચુકાદા અપાયા હતા. રાજ્યની અદાલતોમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી 2 હજાર 761 તકરારોનો પણ લોક અદાલતથી અંત આવ્યો હતો. આ ઉપરાંત કંસીલીએશનની વ્યવસ્થાના કારણે 10 વર્ષ જૂના 823 કેસોનો નિવેડો આવ્યો હતો. બીજી તરફ , અમદાવાદ સિટી કોર્ટ ખાતે લોક અદાલત યોજાઇ. જેમાં મોટર અકસ્માત, દિવાની દાવાઓ, ચેક પરતને લગતી તકરારો, માત્ર દંડને શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી તકરારો તથા ઔધોગિક તકરારોન...

ડિસેમ્બર 15, 2024 8:14 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:14 એ એમ (AM)

views 8

સમગ્ર રાજ્યમાં ગઈકાલે યોજાયેલી આ વર્ષની છેલ્લી લોક-અદાલતમાં 3 લાખ 30 હજાર 655 પ્રિ-લિટિગેશન કેસના સમાધાન થયા હતા.

સમગ્ર રાજ્યમાં ગઈકાલે યોજાયેલી આ વર્ષની છેલ્લી લોક-અદાલતમાં 3 લાખ 30 હજાર 655 પ્રિ-લિટિગેશન કેસના સમાધાન થયા હતા. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, લોક-અદાલતમાં ઈ-ચલણના 2 લાખ 85 હજાર 837 કેસ પૂરા થતાં 17 કરોડ 15 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. રાજ્યભરની અદાલતોમાં પડતર દામ્પત્ય જીવનને લગતા 3 હજાર 304, 10 વર્ષ જૂના 1 હજાર 296 કેસનો નિકાલ કરાયો છે. લોક-અદાલતમાં વિવિધ તકરારના અંદાજે 3 લાખ 30 હજાર 207 જેટલા કેસ સમાધાન માટે મુકાયા, જે પૈકી 2 લાખ 46 હજાર 184 કેસનો નિકાલ કરાયો અને અંદાજે એક હજાર 270...

ઓગસ્ટ 27, 2024 7:11 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 7:11 પી એમ(PM)

views 3

પંચમહાલ જિલ્લામાં ઇ-ચલણ (મેમો) અંગે 14 સપ્ટેમ્બરે લોક અદાલત યોજાશે

પંચમહાલ જિલ્લામાં ઇ-ચલણ (મેમો) અંગે 14 સપ્ટેમ્બરે લોક અદાલત યોજાશે.જિલ્લામાં સલામતીના ભાગરૂપે ટ્રાફિક નિયમનના ભંગ બદલ પોલીસ દ્વારા સી.સી.ટી.વી.કેમેરા મોનિટરિંગ કરી ઇ-મેમો આપવાની કામગીરી ચાલી રહી છે. ઇ-મેમોના બાકી દંડ અંગે જિલ્લામાં આશરે ૪૨૦૦ વાહન ચાલકો વિરૂદ્ધ આ પ્રિલિટીગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. નેત્રમ, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન તથા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન એમ કુલ ત્રણ સ્થળોએ ઇ-ચલણનો દંડ રોકડમાં ભરી શકાશે