જુલાઇ 9, 2024 3:51 પી એમ(PM) જુલાઇ 9, 2024 3:51 પી એમ(PM)
3
આવતીકાલે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઊજવવામાં આવશે
આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આણંદ ખાતે અને 11મી જૂલાઈના રોજ ઉકાઈ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઊજવવામાં આવશે. આ ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્ર સાથે સંબંધિત આધુનિક ટેક્નોલોજી અંગે માછીમારોને જાણકારી આપવામાં આવશે. જળચર ઉછેરના વ્યવસાય સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને સહકાર અને સહયોગ પ્રદર્શિત કરવા માટે ભારતમાં દર વર્ષે 10 જૂલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં મત્...