સપ્ટેમ્બર 2, 2024 2:58 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 2:58 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે જશે. આજે પહેલા દિવસે રાષ્ટ્રપતિ કોલ્હાપૂરના શ્રી વારણા મહિલા સહકારી સમૂહના સુવર્ણ જયંતિ સમારોહમાં ઉપસ્થિ તરહેશે. જ્યારે આવતીકાલે સુશ્રી મુર્મૂ પુણેના સિમ્બાયોસીઝ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયના 21મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે. ઉપરાંત રાષ્ટ્રપતિ મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના શતાબ્દી વર્ષ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. પ્રવાસના અંતિમ દિવસે તેઓ લાતૂરના ઉદગીર ખાતે બૌદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરશે અને સાથે જ તેઓ શાસન આપલ્યા દારી તથા મુખ્યમંત્...

સપ્ટેમ્બર 1, 2024 8:15 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2024 8:15 પી એમ(PM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કહ્યું હતું કે ન્યાયતંત્ર સામે પડતર કેસોને ઘટાડવાએ એક મોટો પડકાર છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કહ્યું હતું કે ન્યાયતંત્ર સામે પડતર કેસોને ઘટાડવાએ એક મોટો પડકાર છે. આજે સાંજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ન્યાયતંત્રના સહિયારા પ્રયાસ દ્વારા પડતર કેસોની સંખ્યા ઘટાડી શકાશે પોતાના સંબોધનમાં કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે 75 વર્ષની સફર પૂર્ણ કરી છે. તેમણે કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા નાગરિકો માટે ન્યાયિક પ્રણાલીની સારી ઇકોસિસ્ટમ ઉપલ...

ઓગસ્ટ 28, 2024 7:57 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 7:57 પી એમ(PM)

views 3

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને તેની હત્યાની ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે જણાવ્યું હતું કે, કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને તેની હત્યાની ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે. શ્રીમતી મુર્મૂએ ઉંમેર્યું, તાજેતરમાં મહિલાઓ સામેના વધતા ગુનાઓ અંગે આપણે આત્મમંથન કરવાની જરૂર છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક લેખમાં આ મુજબ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું, મહિલાઓ પર થતા અત્યાચારમાં નાની બાળકીઓ પણ સામેલ છે. અને કોઈ પણ સભ્ય સમાજ બહેન દીકરીઓને આ રીતે અત્યાચારનો ભોગ બનતા સહન ન કરી શકે. સુશ્રી મુર્મૂએ ઉમેર્યું, આવી ઘટનાઓથી દેશભરમ...

ઓગસ્ટ 16, 2024 9:26 એ એમ (AM) ઓગસ્ટ 16, 2024 9:26 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ-હોમ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ-હોમ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, આ કાર્યક્રમમાં રાજનાથ સિંહ, જેપી નડ્ડા, ડૉ. એસ. જયશંકર, અશ્વિની વૈષ્ણવ, પીયૂષ ગોયલ અને શિવરાજ સિંહ ચૌહાણ તથા અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

ઓગસ્ટ 5, 2024 8:16 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 8:16 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતની “પ્રાકૃતિક કૃષિ સખી” ની પહેલ અન્ય રાજ્યોને અપનાવવા અનુરોધ કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 'પ્રાકૃતિક કૃષિ સખી' બનાવવાની ગુજરાતની પહેલને અન્ય રાજ્યો પણ અપનાવે તેવું સૂચન કર્યું છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા રાજ્યપાલોના સંમેલન પહેલા રાજ્યપાલોની અનૌપચારિક બેઠક યોજાઈ હતી. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, રાજ્યમાં ગ્રામીણ મહિલાઓને પ્રાકૃતિક ખેતીની પાંચ દિવસની તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાતના આ મહાઅભિયાનની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિશ્રીએ 'પ્રાકૃતિક કૃષિ સખી' બનાવવાની ગુજરાતની પહેલને અન્ય રાજ્યો પણ અપનાવે એવું સૂચન કર્યું હતું. ગુજરાતના ર...

ઓગસ્ટ 2, 2024 8:13 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 8:13 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 થી 10 ઓગસ્ટ દરમિયાન ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની ત્રણ દેશોની મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 થી 10 ઓગસ્ટ દરમિયાન ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની ત્રણ દેશોની મુલાકાતે જશે. આજે બપોરે દિલ્હીમાં મીડિયાને સંબોધતા સચિવ  જયદીપ મઝુમદારે કહ્યું કે ભારતનારાષ્ટ્રપતિ દ્વારા ફિજી અને તિમોર લેસ્ટેની આ પ્રથમ મુલાકાત હશે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ તેમની પૂર્વ તરફના દેશોની નીતીની જાહેરાત કરી છે ત્યારથી દક્ષિણ પૂર્વ એશિયાઅને પ્રશાંત મહાસાગર ક્ષેત્ર ઉપર ભારતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાષ્ટ્રપતિ મુર્મુ 5 થી 7 ઓગસ્ટ દરમિયાન મુલાકાતના પ્રથમ તબક્કામાં ફિજીની મુલાકાત લેશે. ર...

જુલાઇ 18, 2024 2:13 પી એમ(PM) જુલાઇ 18, 2024 2:13 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના પ્રથમ વર્ષના 75 મહત્વપૂર્ણ ભાષણોનું સંકલન કરતું પુસ્તક “વિંગ્સ ટુ અવર હોપ્સ – વોલ્યુમ I,”નું આજે વિમોચન થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના પ્રથમ વર્ષના 75 મહત્વપૂર્ણ ભાષણોનું સંકલન કરતું પુસ્તક "વિંગ્સ ટુ અવર હોપ્સ - વોલ્યુમ I,"નું આજે નવી દિલ્હીમાં વિમોચન થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં ઈ-બુકનું વિમોચન કરશે. પ્રકાશન વિભાગે આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત થશે.

જુલાઇ 17, 2024 2:32 પી એમ(PM) જુલાઇ 17, 2024 2:32 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણોનું સંકલન કરતું પુસ્તક “વિંગ્સ ટુ અવર હોપ્સ – વોલ્યુમ I”નું આવતીકાલે નવી દિલ્હીમાં વિમોચન થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના પ્રથમ વર્ષના 75 મહત્વપૂર્ણ ભાષણોનું સંકલન કરતું પુસ્તક "વિંગ્સ ટુ અવર હોપ્સ - વોલ્યુમ I,"નું આવતીકાલે નવી દિલ્હીમાં વિમોચન થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં ઈ-બુકનું વિમોચન કરશે. પ્રકાશન વિભાગે આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત થશે.                          

જુલાઇ 9, 2024 7:58 પી એમ(PM) જુલાઇ 9, 2024 7:58 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિએ NISIRના વિદ્યાર્થીઓ સાથે માનવતા અને દેશ માટે પોતાના શિક્ષણ અને જ્ઞાનનો ઉપયોગ કરવા જણાવ્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા- NISIRના વિદ્યાર્થીઓ સાથે માનવતા અને દેશ માટે પોતાના શિક્ષણ અને જ્ઞાનનો ઉપયોગ કરવા જણાવ્યું. ભુવનેશ્વર ખાતે આજેસંસ્થાના 13મા પદવીદાન સમારોહને સંબોધિત કરતાં શ્રીમતી મુર્મૂએ આ સંસ્થાના સ્નાતકવિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાકહ્યું કે, તેઓ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠકાર્ય કરીને દેશનું નામ રોશન કરે.રાષ્ટ્રપતિ મુર્મૂએ શિક્ષણને અમૃત સમાન ગણાવતા કહ્યું કે, ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સી. વી.રામન...

જુલાઇ 8, 2024 2:30 પી એમ(PM) જુલાઇ 8, 2024 2:30 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાના ચાર દિવસના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાના ચાર દિવસના પ્રવાસે છે. સુશ્રી મુર્મુ આજે ભુવનેશ્વરની ઐતિહાસિક ઉદયગિરી ગુફાઓની મુલાકાત લેશે. ઉદયગીરી ગુફાઓ બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવેલા હાથીગુંફા શિલાલેખ માટે પ્રખ્યાત છે. આ શિલાલેખ પર 'જૈન નમોકાર મંત્ર' કોતરાયેલા છે. રાષ્ટ્રપતિ મુર્મુ તેમની મુલાકાત દરમિયાન બિભૂતિ કાનુન્ગો કળા અને શિલ્પ મહાવિદ્યાલય અને ઉત્કલ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. તેઓ ભુવનેશ્વર નજીકના ગામમાં બ્રહ્મા કુમારી દિવ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે અને ટકાઉ જીવન શૈલી પર...