નવેમ્બર 8, 2024 7:47 પી એમ(PM) નવેમ્બર 8, 2024 7:47 પી એમ(PM)

views 4

ભ્રષ્ટાચાર દેશની આર્થિક પ્રગતિમાં અવરોઘરૂપ હોવાની સાથે સાથે સામાજીક વિશ્વાસને ગંભીર અસર પહોંચાડે છે:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વાસને સામાજીક જીવનનો પાયો ગણાવીને કહ્યું છે કે, ભ્રષ્ટાચાર દેશની આર્થિક પ્રગતિમાં અવરોઘરૂપ હોવાની સાથે સાથે સામાજીક વિશ્વાસને ગંભીર અસર પહોંચાડે છે. તેઓ આજે દિલ્હીમાં કેન્દ્રીય તકેદારી પંચ દ્વારા તકેદારી જાગૃતિ સપ્તાહની ઉજવણી સમારંભમાં બોલી રહ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સરકારની ભ્રષ્ટાચાર સામેની કડક નિતીના કારણે ભ્રષ્ટાચાર સંપૂર્ણ નાબૂદ કરવામાં મદદ મળશે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના ભાગરૂપે કેન્દ્ર સરકારે યોજનાના લાભો લાભાર્થીઓના બ...

ઓક્ટોબર 31, 2024 2:01 પી એમ(PM) ઓક્ટોબર 31, 2024 2:01 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે, ‘સરદાર પટેલ એક મહાન દેશભક્ત અને અગ્રણી રાષ્ટ્રનિર્માતા હતા.’ ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, ‘સરદાર પટેલનું એક મજબૂત અને અખંડ ભારતનું સપનું લોકોને સદભાવ, વિશિષ્ટતા અને રાષ્ટ્રીય ગૌરવને વધારવા માટે પ્રેરણા આપે છે.’ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ઉપ-રાષ્ટ્રપતિએ તમામ લોકોને સરદાર પટેલના એકતાના વારસાને જાળવી રાખવાનો સંકલ્પ લ...

ઓક્ટોબર 26, 2024 8:32 એ એમ (AM) ઓક્ટોબર 26, 2024 8:32 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કૃત્રિત બુદ્ધિમત્તા – AI ટેક્નોલોજીને યુવાનો માટે વિવિધ ક્ષેત્રોમાં વિશાળ તકો આપનારું ગણાવ્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમગ્ર વિશ્વ માટે પ્રાથમિક ક્ષેત્ર બની ગયું છે અને આ ઉભરતી ટેક્નોલોજી યુવાનો માટે વિવિધ ક્ષેત્રોમાં વિશાળ તકો ખોલશે. ગઈકાલે છત્તીસગઢમાં રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાન - NIT રાયપુરના પદવીદાન સમારોહને સંબોધતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત કૃત્રિમ બુદ્ધિમત્તા પર વૈશ્વિક ભાગીદારીનું સ્થાપક સભ્ય છે. અગાઉના દિવસે રાષ્ટ્રપતિએ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા-AIIMS રાયપુરના પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી. તેમણે આવનારા...

ઓક્ટોબર 19, 2024 8:43 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 8:43 એ એમ (AM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આફ્રિકન દેશ મલાવીમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે. ગઈકાલે તેમણે મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચાકવેરા સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ, ભારત અને મલાવી વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ મૂર્મુ અલ્જેરિયા અને મોરિટાનિયા સહિત ત્રણ આફ્રિકન દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ગુરુવારે મલાવી પહોંચ્યા હતા. આ ત્રણ આફ્રિકન દેશોની મુલાકાત લેનાર તે પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ છે. G-20 ન...

ઓક્ટોબર 17, 2024 8:42 એ એમ (AM) ઓક્ટોબર 17, 2024 8:42 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઓલ્દ ગજુઆની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઓલ્દ ગજુઆની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચામાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ આજથી શનિવાર સુધી મલાવીની 3 દિવસની મુલાકાતે જશે. ત્યાં તેઓ મલાવીના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે અને ભારતીય સમુદાયને પણ મળશે.

ઓક્ટોબર 16, 2024 8:16 પી એમ(PM) ઓક્ટોબર 16, 2024 8:16 પી એમ(PM)

views 1

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના ત્રણ દેશોની મુલાકાતનાં બીજા તબક્કામાં મોરિટાનિયાની મુલાકાતે પહોંચ્યા

આફ્રિકાના ત્રણ દેશોની મુલાકાતનાં બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મોરિટાનિયાની એક દિવસની મુલાકાતે પહોંચ્યા હતા.મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઔલદ ગઝૌનીએ વિમાન મથકે તેમનું સ્વાગત કર્યું હતું.તેઓ આવતી કાલે રાષ્ટ્રપતિ ગઝૌની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.આ ઉપરાંત તેઓ પ્રતિનિધિમંડળ સ્તરની પણ મંત્રણા કરશે.તેઓ મોરિટાનિયામાં વસતા ભારતીય મૂળનાં લોકો સાથે પણ સંવાદ કરશે.વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં તેઓ આવતી કાલે તેઓ મલાવી જવા રવાના થશે.

ઓક્ટોબર 16, 2024 8:42 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 8:42 એ એમ (AM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જેરિયાના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ પ્રવાસના બીજા તબક્કામાં આજે મૉરિટાનિયા માટે રવાના થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જેરિયાના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ પ્રવાસના બીજા તબક્કામાં આજે મૉરિટાનિયા માટે રવાના થશે. રાષ્ટ્રપતિએ ભારત અને અલ્જેરિયા વચ્ચેને સંબંધને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉચ્ચ સ્તરની નેતાઓ અને પ્રતિનિધિમંડળની સાથે વિવિધ દ્વિપક્ષી બેઠક યોજી હતી. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, ‘મૉરિટાનિયાના એક દિવસના પ્રવાસમાં રાષ્ટ્રપતિ અનેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ મૉરિટાનિયાના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ આઉલ્દ ગઝૌઆની અને અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષી બેઠક તેમજ મૉરિટાનિયામાં ભારતીય સ...

ઓક્ટોબર 15, 2024 5:14 પી એમ(PM) ઓક્ટોબર 15, 2024 5:14 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દેશોનાં પ્રવાસનાં ત્રીજા દિવસે આજે અલ્જિરીયામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દેશોનાં પ્રવાસનાં ત્રીજા દિવસે આજે અલ્જિરીયામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રવાસનાં બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આવતી કાલે મોરિટાનિયા માટે રવાના થશે. અંતિમ તબક્કામાં તેઓ 17થી 19 ઓક્ટોબર સુધી મલાવીનો પ્રવાસ કરશે. આ દેશોનાં પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્વિપક્ષીય બેઠકો કરશે અને વેપાર ઉદ્યોગ જગતનાં ટોચનાં નેતાઓ અને ભારતીય મુળનાં નિવાસીઓ સાથે વાતચીત કરશે. રાષ્ટ્રપતિનાં પ્રવાસનો હેતુ આફ્રિકાનાં દેશો સાથે ભારતનાં સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.

ઓક્ટોબર 15, 2024 10:48 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 10:48 એ એમ (AM)

views 5

રાષ્ટ્રપતિ મૂર્મુંએ ભારત અને અલ્જિરીયા વચ્ચે ગાઢ આર્થિક સહયોગ માટે આહ્વાન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારત અને અલ્જિરીયા વચ્ચે ગાઢ આર્થિક સહયોગ માટે આહ્વાન કર્યું છે. અલ્જિરીયાની રાજધાની અલ્જીયર્સમાં અલ્જિરીયા- ભારત આર્થિક મંચને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. તેમણે દ્વિપક્ષી ભાગીદારીને વધુ મજબૂત કરવા તેમજ સહયોગના એક નવા યુગની દિશામાં નવી ગતિ પૂરી પાડવાની જરૂરિયાત પર ભાર આપ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલ્જિરીયા, મૉરિટાનિયા અને મલાવીના પ્રવાસ અંતર્ગત અલ્જીયર્સમાં છે. આ પ્રવાસના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ આવતીકાલે મૉરિટાનિયા માટે રવાના થશે. છેલ્લા તબક્કામાં...

ઓક્ટોબર 14, 2024 10:57 એ એમ (AM) ઓક્ટોબર 14, 2024 10:57 એ એમ (AM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું અલજીરિયા પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અલજીરિયા, મૉરિટાનિયા અને મલાવીનાં એક સપ્તાહના પ્રવાસના પહેલા તબક્કામાં ગત સાંજે અલજીરિયાની રાજધાની અલજીયર્સ પહોંચ્યાં છે. આજે તેઓ અલજીરિયાના રાષ્ટ્રપ્રમુખને મળશે. તેમજ બંને દેશના સંબંધને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ સાથે અલજીરિયાના મુખ્ય નેતાઓ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની દ્વિપક્ષી બેઠક કરશે. આ પ્રવાસના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ મૂર્મું 16મી ઑક્ટોબરે મૉરિટાનિયા જશે અને છેલ્લા તબક્કા હેઠળ 17થી 19ઑક્ટોબર સુધી મલાવી પહોંચશે. મૉરિટાનિયા અને મલાવીના નેતાઓની સાથે સંવાદ ઉપરાંત વેપાર અ...