સપ્ટેમ્બર 2, 2024 7:27 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 7:27 પી એમ(PM)

views 12

રાજ્યમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે ધોવાઇ ગયેલ માર્ગોના મરામતનું કામકાજ પૂરજોશમાં

રાજ્યમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે અનેક માર્ગો ધોવાઇ ગયા હતા. જેને કારણે નાગરિકોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી હતી..જેને કારણે યુધ્ધના ધોરણે માર્ગોના મરામતનું કામકાજ કરવા રાજ્ય સરકાર દ્વારા આદેશ કરાયા હતા. આ આદેશ બાદ માર્ગોના મરામતનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે.. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓમાંથી 56 કિલોમીટરના રસ્તાઓની મરામત યુદ્ધના ધોરણે પૂર્ણ કરાઈ છે. જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં ભારે વરસાદને લીધે ક્ષતિગ્રસ્ત થયેલા જિલ્લાના નાના...

સપ્ટેમ્બર 2, 2024 7:23 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 7:23 પી એમ(PM)

views 6

સ્ટાઇપેન્ડના મામલે હડતાળ કરી રહેલા નિવાસી અને ઇન્ટર્ન તબીબોને આવતીકાલે સવારે નવ વાગે ફરજ ઉપર હાજર થવા સરકારનું ફરમાન

રાજ્ય સરકારના સ્ટાઇપન્ડ વધારાના વિરોધમાં આંદોલન કરી રહેલા રેસિડન્ટ અને ઇન્ટર્ન તબીબોને આવતીકાલ સવારે 9 વાગ્યા સુધીમાં પોતાની ફરજ પર હાજર થવા રાજ્ય સરકારે ફરમાન કર્યું છે. રાજ્ય સરકારે રેસિડન્ટ અને ઇન્ટર્ન તબીબોના સ્ટાઇપન્ડમાં વધારો કર્યો હતો, જેનો તબીબોએ વિરોધ કર્યો હતો. 31મી ઓગષ્ટથી આ તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે. બીજે મેડિકલ કોલેજના ડીન અને નિયામક દ્વારા આ આદેશ અપાયો છે. જો આવતીકાલે સવારે આંદોલન કરી રહેલા તબીબો ફરજ પર હાજન નહીં થાય તો શિક્ષાત્મક પગલાં લેવાનું પણ આ પત્રમાં જણાવાયું છે.

ઓગસ્ટ 18, 2024 8:29 એ એમ (AM) ઓગસ્ટ 18, 2024 8:29 એ એમ (AM)

views 11

રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે ‘પ્રાદેશિક સરસ મેળા’નું આયોજન

રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે 'પ્રાદેશિક સરસ મેળા'નું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી કરાયું હતું. આ મેળામાં ૪૫ જેટલા સ્વ-સહાય જૂથોની ૩૫૦થી વધુ મહિલાઓ ભાગ લઈને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને વેચાણ માટે પ્રદર્શિત કરી રહી છે.

ઓગસ્ટ 12, 2024 7:44 પી એમ(PM) ઓગસ્ટ 12, 2024 7:44 પી એમ(PM)

views 11

રાજ્યની સરકારી શાળામાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે

રાજ્યની સરકારી શાળામાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. દરમિયાન આવા શિક્ષકો સામે કાયદાકીય પગલાં લેવા અંગે પણ ચર્ચા થઇ હતી. શ્રી પાનશેરિયાએ કહ્યું, આવા શિક્ષકો સામે પગલાં લેવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં 17 જિલ્લાના શિક્ષકો બિનઅધિકૃત રીતે રજા પર હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે 32 શિક્ષકો અત્યાર વિદેશમાં છે.

જુલાઇ 17, 2024 7:49 પી એમ(PM) જુલાઇ 17, 2024 7:49 પી એમ(PM)

views 12

રાજ્ય સરકારે સરકારી ભરતીઓમાં કરાર પ્રથા નાબૂદ કરાઈ હોવાના સમાચારને રદિયો આપ્યો છે

રાજ્ય સરકારે વર્ગ 3 અને વર્ગ 4 સહિત કરાર આધારિત ભરતીને સ્થાને કાયમી ભરતી કરવા તેમજ સરકારી ભરતીઓમાં કરાર પ્રથા નાબૂદ કરાઈ હોવાના સમાચારને રદિયો આપ્યો છે.વહીવટી વિભાગના સંયુક્ત સચિવ દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનમાં આ સમાચારોને સત્યથી વેગળા કહેવાયા છે. સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકારે આવો કોઈ જ નિર્ણય લીધો નથી, ના તો આ અંગેની કોઈ સૂચના અપાઈ છે. ભરતી અંગેની સરકારની હાલની નીતિ યથાવત છે. આ નિવેદનમા સામાન્ય લોકોને સોશિયલ મીડિયા તેમજ સમાચારોમાં પ્રસારિત આવી ખબરોથી ભ્રમિત ન થવા લોકોને કહેવાયું છે...