નવેમ્બર 14, 2024 6:55 પી એમ(PM)

views 10

નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશની 90 ટકા મુસ્લિમ વસ્તીને ટાંકીને દેશના બંધારણમાંથી ‘ધર્મનિરપેક્ષતા” શબ્દને હટાવવાનો આગ્રહ કર્યો

નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશની 90 ટકા મુસ્લિમ વસ્તીને ટાંકીને દેશના બંધારણમાંથી 'ધર્મનિરપેક્ષતા” શબ્દને હટાવવાનો આગ્રહ કર્યો છે. ગઈકાલે 15મા બંધારણીય સુધારાની માન્યતા અંગે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બાંગ્લાદેશના એટર્ની જનરલ મોહમ્મદ અસદુઝમાને કહ્યું કે ધર્મનિરપેક્ષતા બાંગ્લાદેશમાં 90 ટકા મુસ્લિમ વસ્તીની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતી નથી. એટર્ની જનરલે સમાજવાદ, બંગાળી રાષ્ટ્રવાદ અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને "રાષ્ટ્રપિતા" તરીકે નામ આપવાની...