માર્ચ 4, 2025 6:08 પી એમ(PM)
14
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને તેમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરી
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને તેમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરી છે. નવી દિલ્હીમાં ભારતીય દૂર સંદેશાવ્યવહાર સંસ્થા-IIMC ના 56મા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે, આજે માધ્યમોની સમગ્ર દુનિયા જ બદલાઈ રહી છે. તેમણે વિદ્યાર્થીઓને હંમેશા રાષ્ટ્રને પ્રથમ રાખવા કહ્યું. શ્રી વૈષ્ણવે IIMC ને અત્યાધુનિક સુવિધાઓ સાથે વિશ્વ કક્ષાની મીડિયા સંસ્થા બનાવવાનો પુનરોચ્ચાર કર્યો. આ કાર્યક્રમ દરમિયાન, મંત્રીશ્રીએ 2023-24ની બેચના...