ફેબ્રુવારી 26, 2025 10:31 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 10:31 એ એમ (AM)

views 5

રાજ્યભરમાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વની ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે.

રાજ્યભરમાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વની ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર, દ્વારકાના નાગેશ્વર મંદિર સહિત રાજ્યના અનેક અગ્રણી શિવમંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોની સવારથી જ ભીડ જોવા મળી રહી છે. અમારાં સંવાદદાતા અપર્ણા ખુંટ જણાવે છે કે, સોમનાથ મંદિરમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર આજે સવારે ચાર વાગ્યાથી સતત 42 કલાક સુધી ખૂલ્લું રહેશે. ધાર્મિક પરંપરા મુજબ, સોમનાથ યજ્ઞશાળામાં વહેલી સવારથી જ હોમ લઘુરુદ્ર યજ્ઞન...

ફેબ્રુવારી 25, 2025 9:33 એ એમ (AM) ફેબ્રુવારી 25, 2025 9:33 એ એમ (AM)

views 4

આવતીકાલે મહાશિવરાત્રીના અવસરે પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ પૂર્ણ થશે

પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ આવતીકાલે મહાશિવરાત્રીના શુભ અવસર પર સત્તાવાર રીતે પૂર્ણ થશે. વહીવટીતંત્રે આ પ્રસંગને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર માંડદ એ જણાવ્યું હતું કે મહાકુંભને પવિત્ર, સુવ્યવસ્થિત અને યાદગાર રીતે પૂર્ણ કરવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વહીવટીતંત્રનો ઉદ્દેશ ભક્તો માટે સરળ મુસાફરી અને તેમના અનુભવો દિવ્ય ...