જાન્યુઆરી 28, 2025 9:45 એ એમ (AM)

views 14

દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે ભારત અને ચીન વિવિધ પગલાં ભરવા સહમત થયા

દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે વિદેશ સચિવ-ઉપમંત્રી સ્તરની બેઠક દરમિયાન ભારત અને ચીન વિવિધ પગલાં લેવા પર સંમત થયા છે. કૈલાશ માનસરોવર યાત્રા, બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવી અને સરહદ પાર નદી ડેટા શેર કરવા અંગેના મુદ્દાઓ ઉપર બંને દેશો વચ્ચે સમજૂતી સધાઇ હતી.ચીનના બે દિવસના પ્રવાસે રહેલા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ બેઠકમાં હાજરી આપી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, બંને પક્ષો હાઇડ્રોલોજિકલ ડેટા અને સરહદ પાર નદીઓ સંબંધિત અન્ય સહયોગની જોગવાઈ ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરવ...

ડિસેમ્બર 19, 2024 2:14 પી એમ(PM)

views 14

ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચેની 23મી બેઠકમાં ભારતે ચીન સાથેના સરહદ વિવાદના ન્યાયી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ પર ભાર મૂક્યો

ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચેની 23મી બેઠકમાં ભારતે ચીન સાથેના સરહદ વિવાદના ન્યાયી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ પર ભાર મૂક્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે ગઈકાલે બેઈજિંગમાં બેઠક મળી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશોએ સામાન્ય સંબંધો પુનઃસ્થાપિત કરવા માટે સરહદ પરની સ્થિતિને શાંતિપૂર્ણ બનાવવા પર ભાર મૂક્યો હતો. શ્રી ડોભાલે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા, નદીના ડેટાની વહેંચણી અને સરહદી વેપારના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. દર...

સપ્ટેમ્બર 13, 2024 9:34 એ એમ (AM)

views 15

ભારત અને ચીન નિયંત્રણ રેખાનાં બાકીનાં વિસ્તારોમાંથી સંપૂર્ણપણે હટી જવાના પોતાનાં પ્રયત્નો બમણા કરવા અને તેની જરૂરિયાત પર કામ કરવા સંમત થયા

ભારત અને ચીન નિયંત્રણ રેખાનાં બાકીનાં વિસ્તારોમાંથી સંપૂર્ણપણે હટી જવાના પોતાનાં પ્રયત્નો બમણા કરવા અને તેની જરૂરિયાત પર કામ કરવા સંમત થયા છે. રશિયાનાં સેન્ટ પિટ્સબર્ગમાં ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટ બ્યુરોના સભ્ય અને કેન્દ્રીય વિદેશી બાબતોનાં આયોગના નિદેશક વાંગ ઇ વચ્ચેની બેઠકમાં આ સમજૂતિ થઈ હતી. આ બેઠક સલામતી બાબતો માટે જવાબદાર બ્રિક્સના ઉચ્ચ અધિકારીઓ અને રાષ્ટ્રીય સલામતી સલાહકારોની બેઠકથી અલગ હતી. બેઠકમાં શ્રી ડોભાલે સ્પષ્ટ કર્યું કે દ્વિપક્ષીય...