જૂન 14, 2025 8:06 પી એમ(PM) જૂન 14, 2025 8:06 પી એમ(PM)

views 17

ભારતીય નૌકાદળે કોચી બંદર નજીક ભારે આગની ઝપેટમાં આવેલા જહાજને બહાર કાઢવાની કામગીરી સફળતાપૂર્વક શરૂ કરી છે.

ભારતીય નૌકાદળે કોચી બંદર નજીક ભારે આગની ઝપેટમાં આવેલા જહાજને બહાર કાઢવાની કામગીરી સફળતાપૂર્વક શરૂ કરી છે. ભારતીય નૌકાદળે પડકારજનક હવામાન, દરિયાઈ પરિસ્થિતિઓ અને જહાજ પર આગ વચ્ચે બચાવ ટીમને હવાઈ માર્ગે મોકલવાની શરૂઆત કરી હતી. ભારતીય નૌકાદળના INS શારદા અને OSV MV ટ્રાઇટન લિબર્ટી ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય દરિયાઈ એજન્સીઓ બચાવ કામગીરીમાં સક્રિય રીતે રોકાયેલા છે.