જાન્યુઆરી 1, 2025 7:28 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 7:28 પી એમ(PM)

views 6

ભારતીય નૌકાદળ આ મહિનાની 15મી તારીખે સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો નીલગીરી, સુરત અને વાઘશીરને સામેલ કરવા જઈ રહ્યું છે

ભારતીય નૌકાદળ આ મહિનાની 15મી તારીખે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો નીલગીરી, સુરત અને વાઘશીરને સામેલ કરવા જઈ રહ્યું છે. આ ત્રણેય યુદ્ધ જહાજો ભારતીય નૌકાદળની લડાયક સજ્જતામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ યુદ્ધ જહાજો સંરક્ષણ સ્વનિર્ભરતા અને સ્વદેશી જહાજ નિર્માણના ક્ષેત્રમાં દેશની અજોડ પ્રગતિને પ્રતિબિંબિત કરશે. યુદ્ધ જહાજ નીલગીરી ગુપ્તચર સુવિધાઓ અને વિશ્વસ્તરીય ટેકનોલોજીથી સજ્જ છે. સુરત યુદ્ધ જહાજની ડિઝાઇન અને ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારાઓ છે. આધુનિક ઉડ્ડયન સુવિધાઓથી સજ્જ યુદ...

નવેમ્બર 22, 2024 2:31 પી એમ(PM) નવેમ્બર 22, 2024 2:31 પી એમ(PM)

views 3

13 સભ્યોના ક્રૂ સાથેનું ભારતીય માછીમારી જહાજ માર્થોમા ગઈકાલે સાંજે ગોવા નજીક ભારતીય નૌકાદળની સબમરીન સાથે અથડાયું

13 સભ્યોના ક્રૂ સાથેનું ભારતીય માછીમારી જહાજ માર્થોમા ગઈકાલે સાંજે ગોવા નજીક ભારતીય નૌકાદળની સબમરીન સાથે અથડાયું હતું. નૌકાદળે શોધ અને બચાવ કામગીરીમાં બોટના 13 સભ્યોમાંથી 11ને બચાવી લીધા છે જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે. નેવીએ કહ્યું છે કે, સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં કોસ્ટ ગાર્ડના જહાજોની પણ મદદ લેવામાં આવી રહી છે અને ઘટનાનું કારણ ની તપાસ કરવામાં આવી રહી છે.

સપ્ટેમ્બર 10, 2024 7:53 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2024 7:53 પી એમ(PM)

views 5

ભારતીય નૌકાદળે તકનિકી અને વહીવટી કારણોસર નાગરિક પ્રવેશ પરીક્ષા રદ્દ કર્યાની જાહેરાત કરી

ભારતીય નૌકાદળે તકનિકી અને વહીવટી કારણોસર નાગરિક પ્રવેશ પરીક્ષા રદ્દ કર્યાની જાહેરાત કરી છે. આ પરીક્ષા આજે સવારે યોજનાર હતી. ભારતીય નૌકાદળે એક નિવેદનમાં કહ્યું છે કે વિવિધ ગૃપ બી – એનજી અને ગૃપ - સી પદોની ભર્તી માટેની ઓનલાઇન પરીક્ષા આ મહિનાની 14 તારીખ સુધી આયોજીત થનાર હતી, જોકે હવે આ પરીક્ષા માટેની નવી તારીખો જાહેર થશે.