માર્ચ 21, 2025 6:59 પી એમ(PM)

views 13

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીને હરીયાળું બનાવવા ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’ અમલમાં મુકાયો

આજે 21 માર્ચ એટલે વિશ્વ વન દિવસ છે. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીને હરીયાળું બનાવવા ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’ અમલમાં મુકાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી 10 હજારથી વધુ રોપા તૈયાર કરાયા છે. વન વિભાગના આ અભિયાને પર્યાવરણ સંરક્ષણની સાથે સ્થાનિક સ્તરે રોજગારીના અવસર પણ સર્જયા છે. આ અંગે ત્યાંના સ્થાનિક દિલીપ કોદરવીએ વધુ માહિતી આપી વિશ્વ વન દિવસની આ વર્ષની થીમ છે. વન અને ખોરાક.. આ વિશે ઉત્તર ડાંગના નાયબ વન સંરક્ષક ડી.એન.રબારીએ વધુ માહિતી આપી. સુરત જિલ્લાના ઓલપાડના નઘોઈ ગામ...

ફેબ્રુવારી 21, 2025 5:59 પી એમ(PM)

views 27

બનાસકાંઠાના દાંતીવાડી ખાતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીના અધ્યક્ષસ્થાને ત્રી-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો પ્રારંભ કરાયો

બનાસકાંઠાના દાંતીવાડી ખાતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીના અધ્યક્ષસ્થાને ત્રી-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનો પ્રારંભ કરાયો છે.આ તાલીમ કાર્યક્રમ હેઠળ દેશભરના ૩૦૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અપાશે.. આ કાર્યક્રમ અંતર્ગત ૨૫ જેટલા સ્ટોલ અને વ્યાખ્યાન થકી ખેડૂતોને માર્ગદર્શન પણ આપવામાં આવશે.આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીના ૨૦૪૭ના વિકસિત ભારતના વિઝનને પૂર્ણ કરવા સૌથી વધુ કૃષિ ક્ષેત્ર ભાગ ભજવશે.આ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં દાંત...

ફેબ્રુવારી 13, 2025 7:49 પી એમ(PM)

views 16

બનાસકાંઠા જિલ્લો એ બટાકાનું હબ ગણાય છે

બનાસકાંઠા જિલ્લો એ બટાકાનું હબ ગણાય છે. ડીસા ઉપરાંત દિયોદર તાલુકામાં પણ બટાકાનું વાવેતર કરવામા આવેલું છે.રવી સીઝનમાં ચાર હજાર 228 હેકટર બટાકા નું વાવેતર દિયોદર તાલુકામાં કરવામાં આવ્યું છે.દિયોદર ના વડીયા ગામના ખેડૂતો એ પોતાના ખેતરમાં વાવેતર કરેલ બટાકા કાઢવાના શ્રી ગણેશ કર્યા છે.સાથે સાથે ઘરે બેઠા સારા ભાવે વેપાર પણ કરી રહ્યા છે.ખેડૂત ભરતભાઇ ગેલોત જણાવે છે કે અહી નર્મદા ના નીર આવતા ખેતીમાં ખૂબ જ ફાયદો થયો છે...

જાન્યુઆરી 31, 2025 8:15 એ એમ (AM)

views 13

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી.

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી છે. જેમાં સૂચિત નવા જિલ્લાનું મુખ્યમથક થરાદ રહેશે. જેમાં થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા, લાખણી, દિયોદર, કાંકરેજ અને ભાભર એમ મળીને કુલ આઠ તાલુકા રહેશે. જ્યારે મૂળ બનાસકાંઠા જિલ્લાનું મુખ્યમથક પાલનપુર રહેશે. ઉપરોક્ત જાહેરાત સબંધે જાહેર જનતા જો કોઈ રજૂઆતો કરવા માંગતી હોય, તો સંબંધિત નાયબ કલેકટરને બીજી ફેબ્રુઆરી સુધી લેખિત સ્વરૂપે મોકલી શકશે તેમ બનાસકાંઠા જિલ્લા કલેકટરે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

જાન્યુઆરી 30, 2025 7:16 પી એમ(PM)

views 22

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી છે. જેમાં સૂચિત નવા જિલ્લાનું મુખ્યમથક થરાદ રહેશે. જેમાં થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા, લાખણી, દિયોદર, કાંકરેજ અને ભાભર એમ મળીને કુલ આઠ તાલુકા રહેશે. જ્યારે મૂળ બનાસકાંઠા જિલ્લાનું મુખ્યમથક પાલનપુર રહેશે. ઉપરોક્ત જાહેરાત સબંધે જાહેર જનતા જો કોઈ રજૂઆતો કરવા માંગતી હોય, તો તેઓની લેખિત રજૂઆતો સંબંધિત નાયબ કલેકટરને બીજી ફેબ્રુઆરી સુધી લેખિત સ્વરૂપે મોકલી શકશે તેમ બનાસકાંઠા જિલ્લા કલેકટરે એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

જાન્યુઆરી 7, 2025 9:45 એ એમ (AM)

views 10

બનાસકાંઠા જિલ્લાની કુલ ૧૦ પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા અદાલત દ્વારા કુલ રૂ.૨૬ લાખનો દંડ કરાયો

બનાસકાંઠા જિલ્લાની કુલ ૧૦ પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા અદાલત દ્વારા કુલ રૂ.૨૬ લાખનો દંડ કરાયો છે. આ અંગે અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં જિલ્લાની જુદી-જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે ઘી, માવાના નમુનાઓ લઈને ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલાવેલા હતા. ફૂડ લેબોરેટરી દ્વારા સદર નમુનાઓ ધારા ધોરણ મુજબ ન હોવાનુ જાહેર થતાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા કોર્ટ સમક્ષ કેસ દાખલ કરાયો હતો. જે તમ...

જાન્યુઆરી 5, 2025 8:19 એ એમ (AM)

views 12

બનાસકાંઠાના સુઈગામ ખાતે નશામુક્તિ અંગે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

બનાસકાંઠાના સુઈગામ ખાતે નશામુક્તિ અંગે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં નશામુક્તિ અંગેની વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, મેડિકલ ઓફિસરો અને આશાવર્કર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે, દર વર્ષે ગુજરાતમાં અને દેશમાં હજારો લોકો નશાને કારણે મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં આવા કાર્યક્રમો દ્વારા જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે.

ડિસેમ્બર 27, 2024 7:17 પી એમ(PM)

views 10

બનાસકાંઠાના પાલનપુર વર્તુળ કચેરી દ્વારા વિશેષ ઝુંબેશ યોજી અલગ અલગ ખાદ્ય મસાલાઓની પેઢીઓમાંથી મસાલાઓના નમૂના લઈ તપાસ અર્થે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા

બનાસકાંઠાના પાલનપુર વર્તુળ કચેરી દ્વારા વિશેષ ઝુંબેશ યોજી અલગ અલગ ખાદ્ય મસાલાઓની પેઢીઓમાંથી મસાલાઓના નમૂના લઈ તપાસ અર્થે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા. મરચું પાવડર, ધાણાજીરું પાવડર, હળદર પાવડર વિગેરેના કુલ 14 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી 5 નમૂનાઓમાં જંતુનાશક દવાઓની માત્રા વધુ પ્રમાણમાં દેખાતા તેને અખાદ્ય જાહેર કરાયા હતા. આ સંદર્ભે જવાબદાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ડિસેમ્બર 17, 2024 9:53 એ એમ (AM)

views 25

બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સભ્ય સચિવ અને પ્રાયોજના વહીવટદાર દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના તથા જિલ્લાની આદિજાતિ વસ્તી અને તેના આધારે થતી જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જિલ્લાના કુલ ૧ હજાર ૨૮૮ લાખ કરતા વધુના ૩૬૨ કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા મંજૂર કરાયું હતું. આ બેઠકમાં મંત્રીએ આદિજાતિ વિસ્તારના લોકોની સુખાકારી માટે ગામની અંદર એક શેડ બનાવી બહુલક્ષી કામ કરવા સૂચન કર્યું હતું.

સપ્ટેમ્બર 3, 2024 7:26 પી એમ(PM)

views 13

બનાસકાંઠાના થરાદ ખાતે બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઈલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું

બનાસકાંઠાના થરાદ ખાતે બનાસ સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઈલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશની આવી પ્રથમ લેબોરેટરીનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રયોગશાળાના ઉદઘાટન પ્રસંગે શંકર ચૌધરીએ જિલ્લાના ખેડૂતોને તેના દ્વારા મળતા ફાયદા વિષે વાત કરી હતી. આગામી સમયમાં ખેડૂતોને પોતાની જમીનમાં કયું વાવેતર કરવાનું છે અને તેમાં કયા ખાતરનો ઉપયોગ કરવાનો છે તે આ માટી પરીક્ષણ ઉપરથી નક્કી થશે. ખેડૂતોને ઘરે બેઠા...