ડિસેમ્બર 3, 2024 3:25 પી એમ(PM)

views 36

પ્રાણીઓ અને યાયાવર પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય બન્યું છે

પ્રાણીઓ અને યાયાવર પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય બન્યું છે.વન્યજીવ વસતિ અંદાજ અને ગણતરી મુજબ, વર્ષ 2023માં રાજ્યમાં મોર, નીલગાય, વાંદરા, કાળિયાર, દીપડા, સાંભર, ચિન્કારા સહિત અંદાજે 21 પ્રજાતિઓની 9 લાખ 53 હજારથી વધુ વસતિ નોંધાઈ હોવાનું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.કચ્છના બન્ની વિસ્તારમાં રાજ્યનું પ્રથમ ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર બનાવવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.આ કેન્દ્ર અંગે અભ્યાસ માટે વન્યજીવ સાથે જોડાયેલા રાજ્યના અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનો-પાલનપુર રાષ્ટ્રીય પાર્કની મુલાકાત...