માર્ચ 11, 2025 6:31 પી એમ(PM)
8
પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા આજે સુરેન્દ્રનગરમાં બે દિવસના યોજાનારા ચોટીલા ઉત્સવનો પ્રારંભ કરાવશે
પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા સુરેન્દ્રનગરના ચોટિલા ખાતે આજથી બે દિવસ યોજાનારા ચોટીલા ઉત્સવનો પ્રારંભ કરાવશે.આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2014-15થી સોમનાથ,અંબાજી,દ્વારકા સહિતના 11 યાત્રાધામ ખાતે બે દિવસનાં ઉત્સવનું આયોજન કરાય છે.