જાન્યુઆરી 20, 2025 1:49 પી એમ(PM) જાન્યુઆરી 20, 2025 1:49 પી એમ(PM)

views 3

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ ખાતે ભક્તોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાકની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પગલાં લેવાયા

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025 ખાતે ભક્તોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાકની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા મોટા પાયે પગલાં લીધાં છે.FSSAI એ ફુડ સેફ્ટી ઓન વ્હિલ્સ તથા જાગૃતિ ઝૂંબેશ દ્વારા મહાકુંભ મેળામાં અન્ન સલામતી સુનિશ્ચિત કરી રહી છે. (BYTE: ANAND KUMAR)

જાન્યુઆરી 17, 2025 3:21 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 3:21 પી એમ(PM)

views 2

પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ માટે પશ્ચિમ રેલવેએ વિવિધ મથકોથી વિશેષ ટ્રેનનું આયોજન કર્યું

પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ માટે પશ્ચિમ રેલવેએ વિવિધ મથકોથી વિશેષ ટ્રેનનું આયોજન કર્યું છે. મહાકુંભ દરમિયાન વાપી, વલસાડ, ઉધના, અમદાવાદ, સાબરમતી, વડોદરા, ભાવનગર, રાજકોટ અને ડૉ. આંબેડકર નગર જેવા વિવિધ સ્થળોએથી 11 જોડી ટ્રેન સાથે 98 ફેરા કરવામાં આવી રહ્યા છે, જે બનારસ, પ્રયાગરાજ અને લખનઉ જેવા સ્થળો માટે ચલાવવામાં આવી રહી છે. આમ, પશ્ચિમ રેલવે મહાકુંભ દરમિયાન 113 વિશેષ ટ્રેન ચલાવી રહ્યું છે.

જાન્યુઆરી 16, 2025 2:44 પી એમ(PM) જાન્યુઆરી 16, 2025 2:44 પી એમ(PM)

views 6

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘સંસ્કૃતિ કા મહાકુંભ’નો પ્રારંભ થશે

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘સંસ્કૃતિ કા મહાકુંભ’નો પ્રારંભ થશે. તે અંતર્ગત પ્રખ્યાત કલાકારોની મનમોહક પ્રસ્તુતિઓથી ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા દર્શાવવામાં આવશે. મુખ્ય મંચ ગંગાપંડાલ ખાતે યોજાનારા આ કાર્યક્રમનો શુભારંભ પ્રખ્યાત ગાયક શંકર મહાદેવનની વિશેષ પ્રસ્તુતિથી થશે.યમુના અને સરસ્વતી પંડાલોમાં પણ આજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જ્યારે ત્રિવેણી પંડાલમાં 21 જાન્યુઆરીથી કાર્યક્રમોનો શુભારંભ થશે. મુખ્ય ગંગા પંડાલમાં દસ હજાર દર્શકો માટે સુવિધાયુક્ત વ્યવસ્થા...

જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM) જાન્યુઆરી 10, 2025 10:33 એ એમ (AM)

views 7

13 મીથી મહાકુંભનો પ્રારંભ થશે, મુખ્યમંત્રી યોગી આકાશવાણીની કુંભવાણી ચેનલને લૉન્ચ કરશે

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે આગામી તા. ૧૩મી જાન્યુઆરીથી મહાકુંભ ૨૦૨૫નો પ્રારંભ થશે. આ મહાકુંભનો મેળો તા. ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ભવ્ય કાર્યક્રમ પોષ પૂર્ણિમાના પવિત્ર અમૃત સ્નાનથી શરૂ થશે અને મહાશિવરાત્રીના દિવસે મહાકુંભ ૨૦૨૫ના છેલ્લા અમૃત સ્નાન સાથે સમાપ્ત થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, આ વર્ષે અંદાજીત ૪૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આ મહાકુંભમાં સહભાગી થશે. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહાકુંભ 2025 ને સમર્પિત આકાશવાણીની કુંભવાણી ચેનલને પણ લોન્ચ કરશે. માહિતી અન...