ઓક્ટોબર 4, 2024 7:46 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 7:46 પી એમ(PM)

views 3

રિફોર્મ, પર્ફોમ, ટ્રાન્સફોર્મનાં મંત્ર સાથે દેશ આગળ વધી રહ્યો છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશ રિફોર્મ, પર્ફોમ અને ટ્રાન્સફોર્મનાં મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વૃધ્ધિ કરી રહેલું અર્થતંત્ર છે અને તમામ વૈશ્વિક સંસ્થાઓએ ભારતનો સાત ટકાનો વૃધ્ધિ દર અંદાજ્યો છે. નવી દિલ્હીમાં ત્રીજી કૌટિલ્ય ઇકોનોમિક કોન્કલેવને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે, આ કોન્ક્લેવ એવા સમયે યોજાઈ રહી છે જ્યારે વિશ્વનાં બે મોટાં પ્રદેશોમાં યુધ્ધની પરિસ્થિતિ છે.

ઓક્ટોબર 4, 2024 1:56 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 1:56 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી. મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માની અતૂટ ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને યાદ કર્યા હતા.. તેમણે કહ્યું કે શ્યામજી કૃષ્ણ વર્માના ક્રાંતિકારી કાર્યોએ દેશની આઝાદીના સંકલ્પમાં નોંધપાત્ર શક્તિનો સંચાર કર્યો.

ઓક્ટોબર 2, 2024 9:50 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 9:50 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના હજારીબાગની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના હજારીબાગની મુલાકાત લેશે. તે દરમિયાન 83 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં 79 હજાર 150 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથે ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-જનમન) હેઠળ બહુવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી 40 એકલવ્ય શાળાઓનું ઉદ્ઘાટન પણ કરશે અને 25 એકલવ્ય શાળાઓનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ વિનોબા ભાબે યુનિવર્સિટીના કેમ્...

ઓક્ટોબર 2, 2024 9:14 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 9:14 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં 155મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં 155મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના દસ વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં યોજાશે, જે સ્વચ્છતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જન ચળવળ છે. પ્રધાનમંત્રી 9,600 કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્વચ્છતા અને સ્વચ્છતા સંબંધિત અનેક પ્રોજેક્ટ લોન્ચ કરશે. તેમાં AMRUT અને AMRUT 2.0, સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશન અને ગોબરધન યોજના હેઠળ 15 કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

ઓક્ટોબર 2, 2024 9:12 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 9:12 એ એમ (AM)

views 3

આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.

આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી સહિત અનેક મહાનુભવોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રાજઘાટ પર જઈ પુષ્પાંજલી અર્પણ કરી. રાષ્ટ્રપિતા ગાંધીજીએ અહિંસા અને સત્યાગ્રહના માર્ગે દેશની સ્વતંત્રતા ચળવળને નવી રાહ ચીંધી આઝાદી અપાવી હતી. મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે , સત્ય અને અહિંસાના પ્રખર અનુયાયી બાપુનું જીવન સમગ્ર માનવતા માટે અનોખો સંદેશ છે. આજે સ્વતંત્ર ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદૂર શ...

સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 10:05 એ એમ (AM)

views 9

પીએમ મોદી આજે મહારાષ્ટ્રમાં 11,200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર માટે 11 હજાર, 200 કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમહૂર્ત કરશે. તેઓ એક હજાર, 810 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પૂણે જિલ્લા અદાલતથી સ્વરગેટ સુધીની પુણે મેટ્રોનું ઉદ્ઘઘાટન કરશે. ઉપરાંત પુણે મેટ્રોના બીજા તબક્કામાં સ્વરગેટ – કટરાજ એક્સ્ટેન્શન પ્રોજેક્ટનું ખાતમહૂર્ત કરશે. બે હજાર, 955 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર 5.4 કિલોમીટરનો આ મેટ્રો રુટ ભૂર્ગભમાં છે, જેના ત્રણ સ્ટેશનમાં માર્કેટયાર્ડ, પદ્માવતી અને કટરાજ સામેલ છે. ...

સપ્ટેમ્બર 29, 2024 9:00 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 9:00 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 114મી કડી છે. આજે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્ર...

સપ્ટેમ્બર 28, 2024 8:36 એ એમ (AM) સપ્ટેમ્બર 28, 2024 8:36 એ એમ (AM)

views 9

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનો આ 114મો એપિસોડ છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમ...

સપ્ટેમ્બર 27, 2024 7:55 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 7:55 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’માં વિવિધ વિષયો પર વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, A.I.R. ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એર મોબાઇલ એપ્લિકેશન પર સાંભળી શકશો. ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિંદી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુ-ટ્યૂબ ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશો. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમના તુરંત બાદ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરા...

સપ્ટેમ્બર 27, 2024 2:33 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 2:33 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, A.I.R. ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એર મોબાઇલ એપ્લિકેશન પર સાંભળી શકશો. ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિંદી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુ-ટ્યૂબ ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશો. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમના તુરંત બાદ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરા...