ફેબ્રુવારી 23, 2025 2:21 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું, A.I. ક્ષેત્રમાં ભારત ઝડપથી પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે.”

નરેન્દ્ર મોદીએ કહ્યું, “કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. ક્ષેત્રમાં ભારત ઝડપથી પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે.” આકાશવાણી પરથી પ્રસારિત થયેલા ‘મન કી બાત’ કાર્યક્રમના માધ્યમથી દેશને સંબોધિત કરતાં શ્રી મોદીએ કહ્યું, “ભારતના લોકો નવી ટેક્નોલૉજી અપનાવવામાં કોઈનાથી પાછળ નથી.” શ્રી મોદીએ તાજેતરમાં પૅરિસમાં A.I. સંમેલનમાં પોતાના અનુભવની પણ વાત કરી. પ્રધાનમંત્રીએ ગયા મહિને ઇસરોએ પોતાનું 100મું રૉકેટ લૉન્ચ કર્યું તે અંગે ગૌરવ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ મહિનાની 28મી તારીખે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણ...

ડિસેમ્બર 25, 2024 8:45 એ એમ (AM)

views 28

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ખજુરાહોમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ખજુરાહોમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. શ્રી મોદી કેન-બેતવા રિવર નેશનલ લિન્કિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જે નેશનલ વિઝન પ્લાન હેઠળ દેશની નદીઓને જોડવાનો પ્રથમ પ્રોજેક્ટ છે.આ સાથે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને સિંચાઈની સુવિધા મળશે અને પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ થશે. અટલ બિહારી વાજપેયીની જન્મશતાબ્દી નિમિત્તે શ્રી મોદી ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે. તેઓ ગ...

ઓગસ્ટ 23, 2024 8:14 એ એમ (AM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડ અને યુક્રેન પ્રવાસના ત્રીજા દિવસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડ અને યુક્રેન પ્રવાસના ત્રીજા દિવસે આજે યુક્રેનની રાજધાની કિવ પહોંચશે.પ્રવાસ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ દ્વીપક્ષીય સહકારને મજબૂત બનાવવા અને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાતચીત કરશે. આ પૂર્વે ભારત અને પૉલેન્ડ પોતાના સંબંધોને રાજદ્વારી ભાગીદારીમાં બદલવા પર સહમત થયા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વૉરસૉમાં પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. પ્રધાન...

ઓગસ્ટ 18, 2024 8:31 એ એમ (AM)

views 10

પોરબંદર જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી.

પોરબંદર જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.ધારાસભ્ય ના હસ્તે ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ તેમજ પ્રકૃતિપ્રેમીઓનું સન્માન કરાયું હતું.શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણે બધાને વન મહોત્સવ થકી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ભાવનાથી જોડવાનો પ્રયાસ કર્યો છે.

ઓગસ્ટ 16, 2024 7:54 એ એમ (AM)

views 26

દેશભરમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ

દેશભરમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ - દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધતા, તેમણે ભારતના વિકાસ માટે ભાવિ લક્ષ્યોની રૂપરેખા આપી. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર રાષ્ટ્રને મજબૂત બનાવવા અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યમાં સુધારા માટે પ્રતિબદ્ધ છે. એક રાષ્ટ્ર– એક ચૂંટણીનો પુનરોચ્ચાર કરતાં તેમણે કહ્યું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે શાસ...

જુલાઇ 17, 2024 2:08 પી એમ(PM)

views 16

પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તરે ભારતીય અર્થતંત્રનાં વેગમાં મેક ઇન ઇન્ડિયાની ભૂમિકાની ઝાંખી રજૂ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાજિક માધ્યમ પર કઈ રીતે “મેક ઇન ઇન્ડિયા” ભારતના અર્થતંત્રને વૈશ્વિક મંચ પર આગળ ધપાવી રહ્યું છે તેની એક ઝલક રજૂ કરી છે.મોદીએ પોસ્ટમાં જણાવ્યું કે,યુકે, જર્મની અને નેધરલેન્ડ્સમાં ભારતીય સાઈકલની નિકાસમાં વધારો થવાથી એ વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ વૃદ્ધિ આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતના વધતા પ્રભાવને દર્શાવે છે.મેડ ઇન બિહાર બૂટ હવે રશિયન આર્મીનો એક ભાગ બની ગયા છે,જે ભારતીય ઉત્પાદનોની વૈશ્વિક પહોંચ દર્શાવી રહી છે. આ સીમાચિહ્ન આંતરરાષ્ટ્રીય સંરક્ષણ બજારમાં ભારતના ...