જાન્યુઆરી 8, 2025 10:33 એ એમ (AM)

views 44

નેપાળ-તિબેટની સરહદે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 126 થયો

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો છે. ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યું કે, ગઇકાલે આવેલા ભૂકંપમાં 190 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ એક નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળ સરહદ નજીક તિબેટના ઝિઝાંગમાં નોંધાયું છે. ભૂકંપના કારણે મોટાભાગના મૃત્યુ અને ઇજાઓ ઝિઝાંગ શહેરમાં થઈ છે. ઘણી ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. ડીંગરીના ચાંગસુઓ ટાઉનશીપના ટોંગલાઈ ગામમાં અનેક મકાનો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે બિહાર, પશ્ચિમ બંગા...

ડિસેમ્બર 12, 2024 7:10 પી એમ(PM)

views 28

નેપાળના આર્મી ચીફ જનરલ અશોક રાજ સિગડેલે આજે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી

નેપાળના આર્મી ચીફ જનરલ અશોક રાજ સિગડેલે આજે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન તેઓએ દ્વિપક્ષીય સંબંધોને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. શ્રી સિંઘે નેપાળ આર્મીની ક્ષમતા વધારવા તેમજ સંરક્ષણ સાધનો અને સંસાધનો માટેની તાલીમ, નિયમિત કવાયતો, વર્કશોપ અને સેમિનાર સહિત સંરક્ષણ સહયોગના વિવિધ પાસાઓની ચર્ચા કરી હતી. મંત્રીએ નેબરહુડ ફર્સ્ટ પોલિસીના અનુસંધાનમાં પડોશી રાષ્ટ્રો સાથેના સંબંધોને મજબૂત કરવાના ભારતના ઈરાદાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે એ પણ જણાવ્યું કે, નજ...

સપ્ટેમ્બર 29, 2024 7:04 પી એમ(PM)

views 13

નેપાળના ગૃહ મંત્રાલયેદેશમાં પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોના કારણે અત્યાર સુધીમાં 132 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

નેપાળના ગૃહ મંત્રાલયેદેશમાં પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોના કારણે અત્યાર સુધીમાં 132 લોકોના મોતની પુષ્ટિ કરી છે. મંત્રાલયે કહ્યું છે કેકાઠમંડુ ખીણમાં આ દુર્ઘટનાને કારણે 68 લોકોના મોત થયાછે. તે જ સમયે, બાગમતી ક્ષેત્રમાં 45,કોસી ક્ષેત્રમાં 17 અને મધ્યરાજ્યમાં બે લોકોના મોત થયા છે. જ્યારે 64 લોકો લાપતા છેઅને 61 ઘાયલ છે.  નેપાળના સશસ્ત્ર દળોએ અત્યાર સુધીમાં ત્રણ હજારછસો 26 લોકોને સુરક્ષિત બચાવી લીધા છે. કાવરેપાલચોકવિસ્તારના વિવિધ સ્થળોએથી 193 લોકોને લશ્કરીહેલિકોપ્ટરની મદદથી સલામત સ્થળે ખસેડવામાં ...

સપ્ટેમ્બર 26, 2024 7:28 પી એમ(PM)

views 14

નેપાળમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખનને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે

નેપાળમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખનને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. બાગમતી પ્રાંતના હેતૌડાથી કાઠમંડૂને જોડતો કાંતિ હાઇવે ગઈકાલે અવિરત વરસાદને કારણે અવરોધાયો હતો. સ્થાનિક હવામાન વિભાગ અનુસાર સમગ્ર નેપાળમાં સક્રીય ચોમાસાના પવનોની અસરને કારણે કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કોશી, મધેસ, લુમ્બિની, કરનાલી અને પશ્ચિમ પ્રાંતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. તો તટિય વિસ્તારોમાં વાવાઝોડાની આશંકા છે. તટિય વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવાની ચેતવણી ઉચ્ચારવામાં આવ...

જુલાઇ 15, 2024 8:14 પી એમ(PM)

views 29

નેપાળના પ્રધાનમંત્રી પદે કે.પી. શર્મા ઓલી અને 21 મંત્રીઓએ શપથ લીધા

નેપાળના નવાપ્રધાનમંત્રી તરીકે કેપીશર્મા ઓલીએ 21 મંત્રીઓસાથે આજે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે તેમને પદ અને ગુપ્તતાનાશપથ લેવડાવ્યા હતા. અમારા કાઠમંડુના સંવાદદાતા જણાવે છે કે, શુક્રવારે પુષ્પ કમલ દહલ સત્તા પરથી ફેંકાઈજતાં 72 વર્ષીયઓલીએ ચાર પક્ષોનીસંયુક્ત સરકારની રચના કરી હતી. કાઠમુંડુમાંરાષ્ટ્રપતિના કાર્યાલયશીતલ નિવાસ ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં એનસી, યુએમએલ, જનતા સમાજબાદી પાર્ટી અને લોકતાંત્રિકસમાજબાદી પાર્ટીનાં ધારાસભ્યોએ શપથ લીધા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં શુભેચ્છા સંદેશ...

જુલાઇ 15, 2024 3:31 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી મોદીએ શ્રી કે.પી.શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી કે.પી.શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે ભારત અને નેપાળ મિત્રતાના ગાઢ સંબંધોને મજબૂત કરવા અને દ્વિપક્ષીય સહયોગ અને પરસ્પર હિતોને વધુ પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરશે.