ઓક્ટોબર 11, 2024 8:04 એ એમ (AM) ઓક્ટોબર 11, 2024 8:04 એ એમ (AM)

views 7

આજે નવરાત્રિના નવમા અને અંતિમ દિવસે મા દુર્ગાના સિદ્ધિ દાત્રી દેવીની આરાધનાનો મહિમા

આજે નવરાત્રિનો નવમો અને અંતિમ દિવસ છે. નવમાં નોરતે માં દુર્ગાના સિદ્ધ દાત્રી દેવીની આરાધનાનો મહિમા છે. માં સિદ્ધ દાત્રી અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વિશિત્વ આઠ પ્રકારની સિદ્ધિઓના દાતા છે. તેમનું વાહન સિંહ છે. ઝાલાવાડના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ગઇ કાલે હવાનાષ્ટમી નિમિત્તે ડુંગર ઉપર હવનનું આયોજન થયું હતું. મહંત પરિવાર દ્વારા આયોજિત હવનમાં ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી હવન કરાવ્યો હતો. બીડું હોમાયા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું....

ઓક્ટોબર 10, 2024 2:13 પી એમ(PM) ઓક્ટોબર 10, 2024 2:13 પી એમ(PM)

views 6

આજે નવરાત્રિનો આઠમો દિવસ છે

આજે નવરાત્રિનો આઠમો દિવસ છે. આઠમની તિથિને દુર્ગાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે મા દુર્ગાનાં મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમની ઉંમર બાલીકા સ્વરૂપ આઠ વર્ષની માનવમાં આવે છે. માં નાં આભૂષણો અને વસ્ત્રો સફેદ છે. તેમનું વાહન વૃષભ છે. તેમનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે, અને ડાબા હાથમાં વર મુદ્રા છે. તેમણે શિવજીને મેળવવા કઠોર તપ કર્યું હતું. પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં ભારે ઉત્સાહપૂર્વક દુર્ગા પુજાનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. રાજ્યભરનાં પંડાલમાં ભક્તો મા દુર્ગાની પુજા કરવા મો...

ઓક્ટોબર 8, 2024 3:48 પી એમ(PM) ઓક્ટોબર 8, 2024 3:48 પી એમ(PM)

views 6

નવરાત્રિના પાચમાં દિવસે ખેલૈયાઓ મન મકૂીને ગરબે ઝૂમ્યા હતા

નવરાત્રિના પાચમાં દિવસે ખેલૈયાઓ મન મકૂીને ગરબે ઝૂમ્યા હતા.ગાંધીનગરના અમારા પ્રવતધ દુર્ગેશ મહેતા જણાવે છે કે,શહેરના મોટા ગરબા મહોત્સવ કેસરિયા ગરબામાં ગાયકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખેલા “આવતી કળાય માડી આવતી કળાય”ની પ્રસ્તુતિ કરી હતી.ગરબામાં આ વખતે પણ QR કૉડ સ્કેન થકી અને ચહેરા ઓળખ કરતી ટેક્નૉલોજીનો ઉપયોગ કરી ખેલૈયાઓ વ્યવસાયક તસવીરકારોએ પાસેથી વિનામૂલ્યે પોતાની તસવીર ફૉનમાં લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાાં આવી છે.

ઓક્ટોબર 8, 2024 10:48 એ એમ (AM) ઓક્ટોબર 8, 2024 10:48 એ એમ (AM)

views 5

નવરાત્રિ દરમિયાન શહેરમાં ટ્રાફિક જામ થતો હોવાથી સવારે આઠથી રાત્રિનાં બે વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

નવરાત્રિ દરમિયાન શહેરમાં ટ્રાફિક જામ થતો હોવાથી સવારે આઠથી રાત્રિનાં બે વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેર પોલિસ કમિશનરે પ્રસિધ્ધ કરેલું આ જાહેરનામું 12 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. આ દરમિયાન સવારે આઠ વાગ્યાથી રાત સુધી શહેરનાં અધિકારક્ષેત્રમાં પ્રવેશી શકશે નહીં. અગાઉ રાત્રિનાં 10 વાગ્યા બાદ ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવતો હતો.

ઓક્ટોબર 8, 2024 10:47 એ એમ (AM) ઓક્ટોબર 8, 2024 10:47 એ એમ (AM)

views 7

આજે છઠું નોરતુ છે. આજે માં કાત્યાયની દેવીની આરાધના કરવામાં આવે છે

આજે છઠું નોરતુ છે. આજે માં કાત્યાયની દેવીની આરાધના કરવામાં આવે છે. મહર્ષિ કાત્યાયનીને સર્વ પ્રથમ તેમની ઉપાસના કરી હોવાથી તેમનું નામ કાત્યાયની છે. તેમનું વાહન સિંહ છે. તેમની પૂજાથી ધર્મ અર્થ કામ – મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભય અને કષ્ટોનો નાશ થાય છે. રાજ્યનાં ગામે ગામ આધુનિક રીતે નવરાત્રિનાં ગરબા થઈ રહ્યા છે ત્યારે અનેક સ્થળોએ માઇક કે સ્પીકર જેવા વીજાણુ સાધનો વગર માત્ર ઢોલ દ્વારા ગરબા ગવાય છે. ત્યારે એક ગામ એવું છે જ્યાં ગરબા નથી થતાં. મહેસાણાનાં મેવડ ગામમાં નવરાત્રિ મહોત્સવ યોજાતો નથી. આ ગામમાં નવ...

ઓક્ટોબર 5, 2024 10:19 એ એમ (AM) ઓક્ટોબર 5, 2024 10:19 એ એમ (AM)

views 6

આજે નવરાત્રીનો ત્રીજો દિવસ

આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે મા અંબાના ચંદ્ર ઘંટા સ્વરૂપનું પૂજન થાય છે. મા ચંદ્ર ઘંટાને દશ ભૂજાઓ અને મસ્તક પર અર્ધચંદ્ર છે તેમનું વાહન સિંહ છે. તેમની આરાધનાથી વિપતિઓનો નાશ થાય છે. સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ગઈ કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 'IAS વાઇવ્સ વેલફેર એસોસિએશન' દ્વારા ગાંધીનગર ના સેક્ટર-૧૯માં આયોજિત નવરાત્રી રાસ ગરબા મહોત્સવમાં માતાજીની આરતીમાં ભાગ લીધો હતો. દાહોદના રામાનંદ પાકૅમાં ધામધૂમથી નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ની શરૂઆત થઈ હતી. મહામંડલેશ્વર ૧૦૦૮ શ...

ઓક્ટોબર 4, 2024 7:19 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 7:19 પી એમ(PM)

views 11

નવરાત્રીના ઉત્સવમાં માતા અને બહેનો નિશ્ચિંત થઈને ગરબે રમી માં અંબાની આરાધના કરી શકે તે માટે મહિલા પોલીસ ની શી ટીમ સતત કાર્યરત

નવરાત્રીના ઉત્સવમાં માતા અને બહેનો નિશ્ચિંત થઈને ગરબે રમી માં અંબાની આરાધના કરી શકે તે માટે મહિલા પોલીસ ની શી ટીમ સતત કાર્યરત છે. મોરબી જિલ્લામાં નવરાત્રિના પહેલા નોરતાથી જ પોલીસની શી ટીમ દ્વારા જુદાજુદા વિસ્તારમાં આવેલ ખાનગી પાર્ટી પ્લોટ તેમજ ગરબીઓમાં જઈને કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોઈપણ શખ્સ રોમિયોગીરી કરતાં પકડાશે તો તેની સામે પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. મહિલા પોલીસે ગરબે રમવા માટે આવેલ યુવતીઓને, અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ સાથે ન રમવા તેમજ અજાણ...

ઓક્ટોબર 4, 2024 3:15 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 3:15 પી એમ(PM)

views 7

ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુકત ઉપક્રમે ૫ અને ૬ ઓકટોબરનાં રોજ રાત્રે ૮ થી ૧૨ દરમ્યાન નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ -૧ ખાતે રાષ્ટ્રીય એકતા માટે ગરબાની થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું

રાજ્યભરમાં નવરાત્રિનો ભારે હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુકત ઉપક્રમે ૫ અને ૬ ઓકટોબરનાં રોજ રાત્રે ૮ થી ૧૨ દરમ્યાન નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ -૧ ખાતે રાષ્ટ્રીય એકતા માટે ગરબાની થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમ્યાન એકતા નગર ખાતે આવતા પ્રવાસીઓ, એકતાનગરના રહેવાસીઓ અને અહીં ફરજ બજાવતા કર્મયોગીઓ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર નારાયણ માધુ અને ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે...

સપ્ટેમ્બર 29, 2024 3:14 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2024 3:14 પી એમ(PM)

views 11

નવરાત્રિ મહોત્સવની સુરક્ષા અંગે ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે કહ્યું, ‘ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા એમ તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક છે

નવરાત્રિ મહોત્સવની સુરક્ષા અંગે ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે કહ્યું, ‘ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા એમ તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક છે. તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને આયોજકો વચ્ચે નવરાત્રિ અંગે બેઠક પણ યોજવામાં આવી છે.’

સપ્ટેમ્બર 29, 2024 8:52 એ એમ (AM) સપ્ટેમ્બર 29, 2024 8:52 એ એમ (AM)

views 8

રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી

નવરાત્રિ શરૂ થવાને આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ આપી છે. જો કે મોડાં સુધી ગરબા ચાલુ રાખવાથી નજીકની હોસ્પિટલ કે કોઈ નાગરિકને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા તાકીક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સત્તાવાળાઓ દ્વારા નવરાત્રિ દરમિયાન સામાન્ય રીતે 12 વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજૂરી આપવામાં આવતી હોય છે. અમદાવાદ પોલીસે ગઈકાલે નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે, તે અનુસાર શહેર પોલીસે 3 ઓક્ટોબરથી 11 ઑક્ટોબર સુધી એટલે ...