માર્ચ 28, 2025 6:03 પી એમ(PM) માર્ચ 28, 2025 6:03 પી એમ(PM)

views 3

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ થશે

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ થશે. એક મહિના સુધી ચાલનારી પરિક્રમામાં આ વર્ષે 15 લાખ શ્રદ્ધાળુઓ નર્મદા મૈયાની પરિક્રમા કરે તેવો અંદાજ છે, જેને લઈ તિલકવાડા અને શહેરાવ વચ્ચે 300 મીટર લાંબો તેમ જ ત્રણ મીટર પહોળાઈ ધરાવતો હંગામી બ્રિજ તૈયાર કરાયો છે. આ અંગે રોડ ઍન્ડ બિલ્ડિંગ વિભાગના એક્ઝિક્યૂટિવ એન્જિનિયર સી. કે. સોનીએ માહિતી આપી.

માર્ચ 2, 2025 7:23 પી એમ(PM) માર્ચ 2, 2025 7:23 પી એમ(PM)

views 5

નર્મદાના ધારીખેડા ખાતે આવેલી નર્મદા સુગર ફેક્ટરી શેરડી પીલીને તેના મોલાસિસમાંથી દૈનિક 1.20 લાખ લિટર ઇથેનોલનું ઉત્પાદન કરનાર રાજ્યની પ્રથમ ફેક્ટરી બનશે.

નર્મદાના ધારીખેડા ખાતે આવેલી નર્મદા સુગર ફેક્ટરી શેરડી પીલીને તેના મોલાસિસમાંથી દૈનિક 1.20 લાખ લિટર ઇથેનોલનું ઉત્પાદન કરનાર રાજ્યની પ્રથમ ફેક્ટરી બનશે. હાલ રોજના 60 હજાર લીટર ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.આગામી દિવસોમાં 60 હજાર લીટરનો બીજો એક પ્લાન્ટ કાર્યરત થશે.

ફેબ્રુવારી 26, 2025 8:32 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 8:32 એ એમ (AM)

views 5

નર્મદાના ખેડૂતોને રાત્રિ દરમિયાન પાક ચોરી અને વન્યપ્રાણીઓથી થતી મુશ્કેલીઓને ધ્યાને રાખી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ખેતરમાં 24 કલાક સિંગલ ફેઝ વીજ પૂરવઠો અપાયો છે.

નર્મદાના ખેડૂતોને રાત્રિ દરમિયાન પાક ચોરી અને વન્યપ્રાણીઓથી થતી મુશ્કેલીઓને ધ્યાને રાખી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ખેતરમાં 24 કલાક સિંગલ ફેઝ વીજ પૂરવઠો અપાયો છે. આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજપીપળાના નાયબ ઈજનેર ચિંતન પટેલે માહિતી આપી

જાન્યુઆરી 30, 2025 3:32 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 3:32 પી એમ(PM)

views 4

નર્મદાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે આજથી જિલ્લા ‘સ્પર્શ’ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ થયો

નર્મદાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે આજથી જિલ્લા ‘સ્પર્શ’ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ થયો. 13 ફેબ્રુઆરી સુધી યોજાનારા અભિયાન અંગે શ્રીમતી દેશમુખે કહ્યું, “રક્તપિત્તથી પીડાતા લોકોને સમાજમાં સમાન સ્થાન મળે તે માટે સમાજના લોકોને આ અભિયાન દ્વારા સંદેશ અપાય છે.” વહેલા નિદાન, નિયમિત અને પૂરતી સારવાર થકી રક્તપિત્ત મટી શકે છે તેમ જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ જણાવ્યું હતું.

જાન્યુઆરી 29, 2025 6:59 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 6:59 પી એમ(PM)

views 6

નર્મદા જિલ્લાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે નર્મદાના રાજપીપળામાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી અને વૉલીબૉલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો

નર્મદા જિલ્લાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે નર્મદાના રાજપીપળામાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી અને વૉલીબૉલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો. દરમિયાન તેમણે રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે પ્રગતિની તક માટે ખેલ મહાકુંભને ઉત્તમ મંચ ગણાવ્યું હતું. જિલ્લાકક્ષાની કબડ્ડી અને વૉલીબોલ સ્પર્ધાઓમાં અંડર 14થી 17 અને ઑપન વયજૂથ મળીને એક હજાર 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

જાન્યુઆરી 18, 2025 8:13 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:13 એ એમ (AM)

views 3

નર્મદા નદીના પાણીનો લાભ હવેથી કચ્છ જિલ્લાના અંતરીયાળ ગામડાના ખેડૂતોને પણ મળશે.

નર્મદા નદીના પાણીનો લાભ હવેથી કચ્છ જિલ્લાના અંતરીયાળ ગામડાના ખેડૂતોને પણ મળશે. રાજ્ય સરકાર કચ્છ જિલ્લાના ટપ્પર ડેમથી દૂરના ગામડાઓ સુધી પાઈપલાઈન નાખવાની યોજના અમલમાં મૂકી રહી છે અને નાબાર્ડે આ માટે 2 હજાર 6 કરોડ રૂપિયાનું ફંડ પણ મંજૂર કર્યું છે. આ યોજનાથી 127 ગામડાના લગભગ 2 લાખ લોકોને લાભ મળશે અને 1 લાખ 57 હજાર હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે.