માર્ચ 11, 2025 6:49 પી એમ(PM)

views 49

ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની આજે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના વોરંટ પર ધરપકડ કરાઇ

ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેની આજે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના વોરંટ પર ધરપકડ કરાઇ હતી, જેમાં તેમના પર હોદ્દા પર રહેતા ઘાતક ડ્રગ વિરોધી કાર્યવાહી બદલ માનવતા વિરુદ્ધ ગુનાઓનો આરોપ મુકાયો હતો. ફિલિપાઇન્સની સરકારે જણાવ્યું હતું કે શ્રી દુતેર્તેને તેમના પરિવાર સાથે હોંગકોંગથી પહોંચ્યા બાદ મનીલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પકડી લેવાયા હતા, જે વૈશ્વિક અદાલત દ્વારા ધરપકડ કરાયેલા પ્રથમ ભૂતપૂર્વ એશિયન નેતા બન્યા છે. તેમના વકીલોએ તાત્કાલિક મનીલામાં સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી કે તેમ...

ફેબ્રુવારી 11, 2025 2:33 પી એમ(PM)

views 54

છત્તીસગઢ પોલીસના આતંકવાદ વિરોધી દળ, ATS એ મુંબઈમાં ત્રણ બાંગ્લાદેશી ભાઈઓની ધરપકડ કરી

છત્તીસગઢ પોલીસના આતંકવાદ વિરોધી દળ, ATS એ મુંબઈમાં ત્રણ બાંગ્લાદેશી ભાઈઓની ધરપકડ કરી હતી. ભારતમાં ગેરકાયદેસર રીતે રહેવા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઇરાક જવાના કેસમાં ધરપકડ કરી છે. પકડાયેલા ત્રણે આરોપીઓ, બાંગ્લાદેશના જેસોર જિલ્લાના વતની છે. મુંબઈ ATS દ્વારા ટ્રેક કર્યા બાદ તેમની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભાઈઓ રાયપુરના ટિકરાપારા વિસ્તારમાં રહેતા હતા. તેઓ ગયા મહિનાની 26મી તારીખે ટ્રેનમાં મુંબઈ ગયા હતા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઇરાક જવાની યોજના બનાવી...

ફેબ્રુવારી 7, 2025 6:25 પી એમ(PM)

views 21

પૂર્વ કચ્છ એસઓજીએ ગાંધીધામમાં કુરિયર મારફતેગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા

પૂર્વ કચ્છ એસઓજીએ ગાંધીધામમાં કુરિયર મારફતે ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે ગાંધીધામના બિઝનેસ આર્કેડ સુભાષનગર વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ કુરિયર ઓફિસ પર વૉચગોઠવવામાં આવી હતી. પોલીસે ઓડિશાથી આવેલા પાર્સલમાંથી 1.21 લાખનીકિંમતનો 12 કિલોથીવધુ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં રાજીવ વિન્દેશ્વર રાય અને સુભાષ દાહોરની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને કુરિયર ઓફિસમાંથી પાર્સલ લઈને નીકળતા જ ઝડપીપાડવામાં આવ્યા હતા.

જૂન 18, 2024 3:12 પી એમ(PM)

views 58

શ્રીલંકાના નૌકા દળે આજે ચાર ભારતીય માછીમારોની ધરપકડ કરી

શ્રીલંકાના નૌકા દળે આજે ચાર ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. પુડુકોટ્ટાઇના આ માછીમારોએ શ્રીલંકાની જળ સીમાનું ઉલ્લંઘન કરતા નેદુન્થીવી નજીક તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમને વધુ તપાસ માટે કનકેસાંથુરાઇ બંદર પર લઈ જવામાં આવ્યા છે.