નવેમ્બર 28, 2024 7:10 પી એમ(PM)

views 14

રાજ્યમાં ગત 15મી નવેમ્બરથી આદિજાતિ વસ્તી વાળા જિલ્લાઓમાં ભ્રમણ કરી રહેલા ‘ધરતી આબા રથ’ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે

રાજ્યમાં ગત 15મી નવેમ્બરથી આદિજાતિ વસ્તી વાળા જિલ્લાઓમાં ભ્રમણ કરી રહેલા 'ધરતી આબા રથ'ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આદિવાસીઓના ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ વારસાને લોકો સમક્ષ મુકવાના હેતુથી શરૂ થયેલા 'ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ના ભાગરૂપે આ રથનું ભ્રમણ હાથ ધરાયું છે. આ રથ ઉપર ભગવાન બિરસા મુંડાની મૂર્તિ, યોજનાકીય માહિતી આપતા પોસ્ટર્સ, ટેબલો જેવા મુખ્ય આકર્ષણના કેન્દ્ર છે. આગામી ૧૨ ડિસેમ્બર સુધી રાજ્યના આદિવાસી વસતી વાળા ૫૪ તાલુકાઓમાં રથ ભ્રમણ કરશે.