નવેમ્બર 3, 2024 7:27 પી એમ(PM)

views 17

જુનાગઢમાં દીવાળી વેકેશનને લઇને પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

જુનાગઢમાં દીવાળી વેકેશનને લઇને પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ગિરનાર રોપમાં રોજના 4000 જેટલા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં પણ 10000 જેટલી ટિકિટનું રોજ વેચાણ થતું હોવાનું જનરલ મેનેજર રાજેશ તોલાણીએ કહ્યું હતું. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ ચાર દિવસ દરમિયાન 30,000 થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તો બીજી તરફ સ્વામિનારાયણ મંદિર અને નરસિંહ મહેતાના ચોરા ખાતે યોજાયેલ અન્નકુટ દર્શનનો પણ મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. અમારા જૂનાગઢના પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવ...

નવેમ્બર 3, 2024 7:22 પી એમ(PM)

views 10

દીવાળીના તહેવારના 3 દિવસ દરમ્યાન 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને 15 હજાર 179 ફોન કોલ મળ્યા હતા. દરરોજના સરેરાશ 5 હજાર 60 જેટલા કોલ મળ્યા હતા.

દીવાળીના તહેવારના 3 દિવસ દરમ્યાન 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને 15 હજાર 179 ફોન કોલ મળ્યા હતા. દરરોજના સરેરાશ 5 હજાર 60 જેટલા કોલ મળ્યા હતા. સામાન્ય દિવસ કરતાં 3 દીવસમાં 12.34 ટકા કોલ વધુ મળ્યા હતાં. સામાન્ય દિવસમાં રોજના 4 હજાર 504 કોલ મળતા હોય છે. 108 ઇમરજન્સી સેવાના સી.ઇ.ઓ. જસવંત પ્રજાપતિએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસમાં દાઝવાના 102 કોલ મળ્યા હતા. જેમાં દિવાળીના દિવસે 38, પડતર દિવસે 40 અને નવા વર્ષના દિવસે 24 કોલ મળ્યા હતા. સરેરાશ રોજના 34 કોલ મળ્યા હતા. અમદાવાદ,...