નવેમ્બર 8, 2024 2:35 પી એમ(PM)
8
ઉત્તર કાશ્મીરના બારમુલ્લા જિલ્લામાં સોપોર વિસ્તારમાં સલામતી દળો સાથેની અથડામણમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા
ઉત્તર કાશ્મીરના બારમુલ્લા જિલ્લામાં સોપોર વિસ્તારમાં સલામતી દળો સાથેની અથડામણમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીર ઝોનના પોલિસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જિલ્લાનાં પાણીપોરા સોપોરમાં ત્રાસવાદીઓની હાજરી હોવાની મળેલી બાતમીને પગલે ગઈ રાત્રિએ સલામતી દળોએ સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું. સલામતી દળો છુપા સ્થળે પહોંચ્યા ત્યારે ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ઘટના સ્થળેથી સંડોવણીજનક દસ્તાવેજો, શસ્ત્ર સરંજામ જપ્ત કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. હાલ અભિયાન ચાલુ છે. વધુ...