માર્ચ 26, 2025 6:04 પી એમ(PM)

views 9

પહેલી એપ્રિલ, 2025 થી સુરત સ્ટેશન પર મોટાભાગની ટ્રેનોના સ્ટોપેજ પુનઃસ્થાપિત કરવામાં આવશે

પહેલી એપ્રિલ, 2025 થી સુરત સ્ટેશન પર મોટાભાગની ટ્રેનોના સ્ટોપેજ પુનઃસ્થાપિત કરવામાં આવશે સુરત સ્ટેશન નું પૂર્ણ રૂપે કાયાકલ્પ થઈ રહ્યું છે અને તેને વિશ્વ કક્ષાના સ્ટેશનના રૂપ માં વિકસિત કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી એક યાદી અનુસાર, પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ચાલી રહેલા સુરત સ્ટેશન પુનઃવિકાસ કાર્યનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ કાર્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા બ્લોકને કારણે જે ટ્રેનોને અસ્થાયી રૂપે વૈકલ્પિક સ્ટેશનો પર સ્થાનાંત...

માર્ચ 17, 2025 7:03 પી એમ(PM)

views 11

લખનઉ ડિવિઝનમાં ચાલતાં સમારકામને પગલે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ

લખનઉ ડિવિઝનમાં ચાલતાં સમારકામને પગલે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ થયેલ છે, જે મુજબ 21 અને 28 માર્ચ તેમજ 4, 11, 18, 25 એપ્રિલના રોજ ગાંધીધામથી ઊપડતી ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ટ્રેન રદ રહેશે, અને 21 અને 28માર્ચ તેમજ 4, 11, 18, 25 એપ્રિલે અમદાવાદથી ઊપડતી અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. દરમિયાન, અમદાવાદ-પાલનપુર સેક્શનમાં ચાલતાં સમરકામને કારણે આવતીકાલે યોગા એક્સપ્રેસ, ગાંધીનગર-જમ્મુતવી પરિવર્તિત માર્ગ પર ચાલશે. આવતીકાલે સાબરમતીથી ઉપડતી સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ મહેસ...

ડિસેમ્બર 30, 2024 3:37 પી એમ(PM)

views 13

આ પહેલી જાન્યુઆરી, 2025થી અમદાવાદ ડિવિઝનના વિવિધ મથક પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો

આ પહેલી જાન્યુઆરી, 2025થી અમદાવાદ ડિવિઝનના વિવિધ મથક પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે, જે અંતર્ગત, 95 જેટલી ટ્રેનોની ગતિ વધારવામાં આવી રહી છે. ઉપરાંત 48 ટ્રેનના મુસાફરીમાં લગતા સમયમાં પાંચ મિનિટથી લઇને 65 મિનિટ સુધીનો ઘટાડો કરાયો છે. અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, મણિનગર, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, સામાખીયાળી, ભુજ સહિત અન્ય મથકના સમયમાં ફેરફાર થશે. જેમાં આ ટ્રેનો તેના વર્તમાન નિર્ધારિત સમય થી પહેલા ક...

ડિસેમ્બર 17, 2024 9:55 એ એમ (AM)

views 12

ઉત્તર પશ્ચિમ રેલવે અજમેર મંડળના આબુ રોડ – માવલ વિભાગ વચ્ચે આરસીસી બોક્સ લોન્ચિંગ કરવા માટેના પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

ઉત્તર પશ્ચિમ રેલવે અજમેર મંડળના આબુ રોડ – માવલ વિભાગ વચ્ચે આરસીસી બોક્સ લોન્ચિંગ કરવા માટેના પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોની વિગતોમાં આજે જોધપુરથી ચાલતી જોધપુર-સાબરમતી એક્સપ્રેસ અને 18 ડિસેમ્બરના રોજ સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવશે. આ ઉપરાંત આજે લાલગઢ-દાદર રણકપુર એક્સપ્રેસ લાલગઢથી 2.00 વાગે અને ભગત કી કોઠી-પુણે એક્સપ્રેસ સાડા ત્રણ કલાકે રીશેડ્યુલ કરવામાં આવશે. જ્યારે આજે સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ માવલ સ્ટેશન પર 12 મિનિટ રેગ્યુલેટ થશે.