માર્ચ 27, 2025 2:15 પી એમ(PM) માર્ચ 27, 2025 2:15 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી કાશ્મીર ખીણ સુધીની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી કાશ્મીર ખીણ સુધીની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે. આ સાથે કાશ્મીર ખીણ સાથે રેલ જોડાણના 70 વર્ષથી જૂનું સ્વપ્ન સાકાર થશે. આ વંદે ભારત ટ્રેન રિયાસી જિલ્લાના કટરા શહેરથી ઉપડશે અને પીર પંજાલ પર્વતમાળાને પાર કરીને શ્રીનગર થઈને ઉત્તર કાશ્મીરના બારામુલ્લા ખાતે તેના અંતિમ મુકામ સુધી પહોંચશે. હાલમાં આ ટ્રેન સંગલદનથી બારામુલ્લા સુધી ચાલે છે. પ્રધાનમંત્રી 19 એપ્રિલની સવારે નવી દિલ્હીથી ઉધમપુર લશ્કરી વિમાનમથક પર ઉતરશે અને ત્યાંથી રિયાસી જિલ્લામાં...

માર્ચ 12, 2025 6:13 પી એમ(PM) માર્ચ 12, 2025 6:13 પી એમ(PM)

views 5

ઉત્તર પશ્ચિમ રેલવેમાં પેચ ડબલીંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર-હરિદ્વાર ટ્રેનની 6 ટ્રીપ રદ કરવામાં આવી

ઉત્તર પશ્ચિમ રેલવેમાં પેચ ડબલીંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર-હરિદ્વાર ટ્રેનની 6 ટ્રીપ રદ કરવામાં આવી છે.  ઉત્તર પશ્ચિમ રેલવેના બીકાનેર મંડળના મોલીસર અને ચૂરૂ સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલતી ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન મે મહિનામાં રદ રહેશે.જે અંતર્ગત ટ્રેન નંબર 19271 ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ 08, 12, 15, 19, 22 અને 26 મે, 2025ના રોજ રદ રહેશે.જ્યારે  ટ્રેનનંબર 19272 હરિદ્વાર-ભાવનગર એક્સપ્રે...

ફેબ્રુવારી 17, 2025 6:59 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 6:59 પી એમ(PM)

views 3

અમદાવાદ સ્ટેશન પર રિડેવલપમેન્ટ કામને કારણે 3 માર્ચ 2025 થી આગામી સૂચના સુધી દરભંગા-અમદાવાદ સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ ટ્રેન વટવા સ્ટેશન પર ટૂંકાવવામાં આવશે

અમદાવાદ સ્ટેશન પર રિડેવલપમેન્ટ કામને કારણે 3 માર્ચ 2025 થી આગામી સૂચના સુધી દરભંગા-અમદાવાદ સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ ટ્રેન વટવા સ્ટેશન પર ટૂંકાવવામાં આવશે .જે અમદાવાદ સ્ટેશન પર જશે નહી. ટ્રેનોના સમયપત્રક મુજબ મુસાફરોની સુવિધા માટે વટવા સ્ટેશનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા વિવિધ સ્થળો માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જાન્યુઆરી 1, 2025 7:11 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 7:11 પી એમ(PM)

views 2

મહાકુંભ મેળા માટે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી આવતીકાલથી એક વન-વે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે

મહાકુંભ મેળા માટે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી આવતીકાલથી એક વન-વે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યાં મુજબ, મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર એક વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.

જાન્યુઆરી 1, 2025 2:28 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 2:28 પી એમ(PM)

views 6

દેશના ઉત્તરી ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક ટ્રેનની અવરજવર પર અસર

દેશના ઉત્તરી ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક ટ્રેનની અવરજવર પર અસર થઈ છે. ભારતીય રેલવેના જણાવ્યા મુજબ, દિલ્હી આવનારી 22 ટ્રેન 2 કલાક સુધી મોડી ચાલી રહી છે, જેમાં અયોધ્યા એક્સપ્રેસ, પાતાલકોટ એક્સપ્રેસ, કૈફિયત એક્સપ્રેસ, તેલંગાણા એક્સપ્રેસ અને પદ્માવતી એક્સપ્રેસ સામેલ છે. મુસાફરોને સ્ટેશન પર જતા પહેલા ટ્રેનની નવી સ્થિતિ જાણવા સલાહ આપવામાં આવી છે.

ઓક્ટોબર 17, 2024 7:09 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 7:09 પી એમ(PM)

views 3

ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમય મર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી

ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમય મર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે. એક પરિપત્રમાં રેલવેએ જણાવ્યું છે કે, નવો નિયમ 1 નવેમ્બરથી અમલી બનશે. જોકે, 31 ઓક્ટોબર સુધી કરવામાં આવેલાં તમામ બુકિંગ યથાવત રહેશે. મંત્રાલયે જણાવ્યું છે કે, વિદેશી પર્યટકો માટે 365 દિવસની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.