ઓગસ્ટ 2, 2024 3:15 પી એમ(PM)

views 19

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા જ્ઞાનસહાયકોનાં કરારની મુદત પૂર્ણ થતાં શિક્ષણ વિભાગ દ્વારા તેમનાં કરાર રિન્યુ કરવાની મંજૂરી આપવામાં આવી

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા જ્ઞાનસહાયકોનાં કરારની મુદત પૂર્ણ થતાં શિક્ષણ વિભાગ દ્વારા તેમનાં કરાર રિન્યુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જ્ઞાન સહાયક જે જગ્યા પર ફરજ બજાવતા હોય ત્યાં શિક્ષકોની જગ્યા ખાલી હોય તે સંજોગોમાં જ્ઞાન સહાયકોના કરાર રીન્યુ કરવાના રહેશે. જો કે શિક્ષકની જગ્યા ભરાઈ ગઈ હોય તે સ્થિતિમાં જ્ઞાન સહાયકને છુટા કરવાના રહેશે.