જાન્યુઆરી 28, 2025 9:32 એ એમ (AM)

views 15

આજે રાષ્ટ્ર, લાલા લાજપતરાયને તેમની 160મી જન્મજયંતિ પર યાદ કરી રહ્યું છે

આજે રાષ્ટ્ર, લાલા લાજપતરાયને તેમની 160મી જન્મજયંતિ પર યાદ કરી રહ્યું છે. મહાન સ્વાતંત્ર્ય સેનાની અને સ્વદેશી ચળવળના ધ્વજધારીનો જન્મ 1865માં આજના દિવસે બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતના ફરીદકોટ જિલ્લાના ધુડીકે ખાતે થયો હતો. પંજાબ કેસરી તરીકે જાણીતા લાલા લાજપતરાયનું ઓક્ટોબર 1928માં પોલીસ દ્વારા લાઠીચાર્જ દરમિયાન માથામાં થયેલી ગંભીર ઇજાઓથી મૃત્યુ થયું હતું. લાલાજી લાહોરમાં ઓલ-બ્રિટિશ સાયમન કમિશન સામે શાંતિપૂર્ણ વિરોધ કૂચનું નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.