ફેબ્રુવારી 14, 2025 7:03 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:03 પી એમ(PM)

views 3

છોટાઉદેપુર જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે ત્રિ-દિવસીય જીલ્લા કક્ષાના શૈક્ષણિક મહોત્સવનું આયોજન કરાયું

GCERT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે ત્રિ-દિવસીય જીલ્લા કક્ષાના શૈક્ષણિક મહોત્સવનું આયોજન કરાયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શાળા કક્ષાએ નવતર પ્રયોગ કરી શિક્ષણને નવી દિશા આપનાર સારસ્વત શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે અને શાળામાં નવતર પ્રયોગ કરી શિક્ષણમાં નવીનતા લાવી શકે તેવા આશયથી ૧૩થી ૧૫ ફેબ્રુઆરી સુધી ત્રિ- દિવસીય ૧૦માં શૈક્ષણિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૯ જેટલી પ્રાથમિક શાળાઓ અને ૧૧ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમ...

જાન્યુઆરી 30, 2025 7:18 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:18 પી એમ(PM)

views 2

છોટાઉદેપુર જિલ્લામાં આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી માસની 2025 ની ઉજવણી કરવામાં આવી રહી છે

છોટાઉદેપુર જિલ્લામાં આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી માસની 2025 ની ઉજવણી કરવામાં આવી રહી છે. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી છોટાઉદેપુરના અધ્યક્ષસ્થાને આરટીઓ છોટાઉદેપુરની ટીમ દ્વારા બોડેલી અલી ખેરવા ચોકડી પાસે બાઇક ચાલકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને લોકોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જાન્યુઆરી 30, 2025 7:17 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:17 પી એમ(PM)

views 3

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વર્ષ 2024-25ના વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વર્ષ 2024-25ના વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય અભેસિંહ તડવી અને જેતપુર પાવીના ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા દ્વારા 588 લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા.

ડિસેમ્બર 30, 2024 7:34 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 7:34 પી એમ(PM)

views 2

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વારસાઈ ઝુંબેશથી છોટાઉદેપુરના આદિવાસી ખેડૂતોને ખુબ સારો લાભ મળ્યો

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વારસાઈ ઝુંબેશથી છોટાઉદેપુરના આદિવાસી ખેડૂતોને ખુબ સારો લાભ મળ્યો છે. અત્યાર સુધીમાં જીલ્લામાં કુલ ૧૩ હજાર ૪૬૩ વારસાઈ નોંધણી કરવાથી અને નવા ખેડૂત ખાતેદારોનું પી એમ કિશાન સન્માન નિધિમાં રજીસ્ટ્રેશન કરી ડાયરેક્ટ બેન્ક પેમેન્ટ દ્વારા પી. એમ. કિસાન સન્માન નિધિનો લાભ પણ આપવામાં આવ્યો હોવાનું છોટાઉદેપુરના કલેક્ટર અનિલ ધામોલીયાએ જણાવ્યું હતું..

ડિસેમ્બર 27, 2024 3:38 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 3:38 પી એમ(PM)

views 6

છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના લાવાકોઈ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 10 ગ્રામ પંચાયતના 625 લાભાર્થીઓને વર્ક ઑર્ડર વિતરણ કરાયા

છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના લાવાકોઈ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 10 ગ્રામ પંચાયતના 625 લાભાર્થીઓને વર્ક ઑર્ડર વિતરણ કરાયા હતા. દરમિયાન લાભાર્થીઓના ખાતામાં એડવાન્સ હપ્તા પેટે 30 હજાર રૂપિયાની રકમ જમા કરાવવામાં આવી હતી.

સપ્ટેમ્બર 22, 2024 8:47 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2024 8:47 એ એમ (AM)

views 10

છોટાઉદેપુરના કુકરદામાં વેધર સ્ટેશન સ્થપાયું

સ્થાનિક હવામાન આગાહીને વધારવા માટે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ પ્રદેશ એવા કુકરદામાં વેધર સ્ટેશન સ્થાપવામાં આવ્યું છે. જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં સ્થાનિક હવામાન આગાહી સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે કુકરદા ગામમાં વેધર સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ NABARDના આર્થિક સહયોગથી અને દીપક ફાઉન્ડેશન અને સંરક્ષણ જળસ્ત્રાવ વિકાસ સમિતિ, કુકરદાના સહયોગથી ચાલી રહ્યો છે. પ્રોજેક્ટ હેઠળ કુકરદા, તરોલ, પિસાયતા અને સાંકળ ગામોમાં સહિયારી અને ખાનગી જમીનના ધોવાણ અટકાવવા ...

સપ્ટેમ્બર 13, 2024 3:27 પી એમ(PM) સપ્ટેમ્બર 13, 2024 3:27 પી એમ(PM)

views 4

રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના 14 રસ્તાના સમારકામને મંજૂરી આપવામાં આવી છે

રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના 14 રસ્તાના સમારકામને મંજૂરી આપવામાં આવી છે. છોટાઉદેપુરના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રસ્તાના સમારકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી, જેને પગલે રાજ્ય સરકારે 22 કરોડ 65 લાખ રૂપિયાના ખર્ચે આ વિસ્તારમાં લુણાજા એપ્રોચ રોડ, એસએચ ડોબા ચાપરા એપ્રોચ રોડ, સિંગલાજા ટૂ રિંછવેલ રોડ, નાલેજ ઓલિઆંબા સિમલફળિયા રૉડ સહિતના 14 રસ્તાના સમારકામ કરાવવાની મંજૂરી આપી છે.

જુલાઇ 11, 2024 8:02 પી એમ(PM) જુલાઇ 11, 2024 8:02 પી એમ(PM)

views 6

છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું

છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમૃતના બીજા તબક્કા અંતર્ગત અંદાજે ૩૧૭.૨૮ લાખ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા,તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં નગરના જુદા જુદા વિસ્તારમાં આર.સી.સી રોડ,પેવર બ્લોક,વરસાદી ચેનલ,નવી સ્ટ્રીટ લાઈટ,ગાર્ડન ડેવલોપમેન્ટ સહિતના અનેક વિકાસકામોનું ખાતમુહૂર્ત અને હાઈપ્રેશર મીની ફાયર ટેન્કર અને રેસ્ક્યુ બોટ તેમજ રેસ્ક્યુના વિવિધ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું.