ઓગસ્ટ 6, 2024 3:30 પી એમ(PM) ઓગસ્ટ 6, 2024 3:30 પી એમ(PM)
16
રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ એટલે કે, એન્કેફેલાઈટીસના કુલ કેસની સંખ્યા 157 થઈ
રાજ્યમાં ચાંદીપુરા વાઈરસ એટલે કે, એન્કેફેલાઈટીસના કુલ કેસની સંખ્યા 157 થઈ છે. સત્તાવાર યાદી પ્રમાણે, અત્યાર સુધીમાં સૌથી વધારે 16-16 કેસ સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે. જ્યારે 68 દર્દી મોત નીપજ્યા છે. રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના 20 દર્દી હાલમાં હૉસ્પિટલમાં દાખલ છે. જ્યારે 69 દર્દીઓને રજા આપવામાં આવી છે. આરોગ્યની ટુકડી દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓના ઘર અને આસપાસના વિસ્તારના ઘર મળી કુલ 52 હજાર 125 ઘરમાં દેખરેખની કામગીરી કરવામાં આવી છે.