ફેબ્રુવારી 12, 2025 3:35 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 3:35 પી એમ(PM)
1
અમદાવાદની ગુનાશોધક શાખાએ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરીને ગેરકાયેદસર રીતે વસતા 15 બાંગલાદેશીઓનો દેશ નિકાલ કર્યો છે
અમદાવાદની ગુનાશોધક શાખાએ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરીને ગેરકાયેદસર રીતે વસતા 15 બાંગલાદેશીઓનો દેશ નિકાલ કર્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મિડીયા પોસ્ટમાં જણાવ્યું છે કે, પોલિસે સગીર છોકરીઓની હેરાફેરી કરનારા વ્યક્તિઓની ઓળખ અને ધરપકડ કરી છે અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેવા માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કોમ્બિંગ ઓપરેશન દરમિયાન ૫૦ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી છે.