જાન્યુઆરી 24, 2025 7:43 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:43 પી એમ(PM)
4
ગુજરાત યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજના યુવાનોને માતૃભાષાને માન આપવાની અપીલ કરી.
ગુજરાત યુનિવર્સિટીનો 73મો પદવીદાન સમારોહ આજે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુની અધ્યક્ષતામાં યોજાયો. આ પદવીદાન સમારોહમાં 240 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક તેમજ લૉ વિભાગની વિદ્યાર્થીનીને LLBમાં પ્રથમ ક્રમે આવવા બદલ કુલ 11 જેટલા સુવર્ણચંદ્રક આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વેંકૈયા નાયડુએ જણાવ્યું કે જ્ઞાનની સાથે એક ઉમદા ચરિત્રનું ઘડતર પણ ખૂબ જરૂરી છે. તેમણે આજના યુવાનોને માતૃભાષાને માન આપવાની અપીલ કરી હતી. તેમણે આધુનિક સ્માર્ટ ગેજેટના વપરાશની સાથે સાથે પરિવારના સભ્યો સાથે સમય વ્યતીત કરી જિંદગીના ઉમદા પાઠ...